ગુજરાત

gujarat

By

Published : Oct 19, 2020, 8:16 AM IST

ETV Bharat / bharat

આસામ-મિઝોરમ સરહદ હિંસક અથડામણ, કેટલાક લોકો ઘાયલ

આસામ-મિઝોરમ સરહદ પર 2 રાજ્યોના કેટલાક લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મિઝોરમના કોલાસિબ જિલ્લા અને આસામના કછાર જિલ્લામાં હિંસક અથડામણ બાદ સ્થતિ નિંયત્રણમાં છે.

આસામ-મિઝોરમ સરહદ
આસામ-મિઝોરમ સરહદ

આઈઝોલ / સિલ્વર : આસામ-મિઝોરમ સરહદ પર બે રાજ્યોના લોકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવની સ્થતિ ઉભી થઈ હતી. આ અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મિઝોરમના કોલાસિબ જિલ્લા અને આસમના કછાર જિલ્લામાં હિંસક અથડામણ બાદ સ્થતિ નિયંત્રણમાં છે. મિઝોરમ સરકારે વૈરેંગ્ટે અને આસમના લૈલાપુર ગામમાં ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મિયોને તૈનાત કરવામાં આવ્યા છે.

મિઝોરમના કોલાસિબ જિલ્લામાં વૈરેંગ્ટે ગામમાંથી નેશનલ હાઈવે 306 પસાર થાય છે. આ હાઈવે આસામને જોડે છે. આસમનું નજીકનું ગામ લૈલાપુર છે. જે કછાર જિલ્લામાં છે. કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર એચ લાલથલાંગિયાએ મીડિયાને જણાવ્યું કે, શનિવાર રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિકો વૈરેન્ગટે એકઠા થયા હતા. ત્યારે ગામના લોકો પર આસમના કેટલાક સ્થાનિકોએ લાઠીચાર્જથી હુમલો કર્યો હતો.

ત્યારબાદ ગુસ્સામાં આવી વૈરન્ગેટની ભીડે લૈલાપુરના સ્થાનિકો દ્વારા નેશનલ હાઈવે કિનારે બનાવવામાં આવેલા અંદાજે 20 ઝુપંડીઓ અને સ્ટોલમાં આગ લગાવી હતી. આ હિંસક અથડામણમાં મિઝોરમના 4 લોકો સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા.

આસામના વનપ્રધાન પરિમલ શુક્લા વૈધે કહ્યું કે, આ વિસ્તારમાં દર વર્ષ અથડામણની ઘટના બનતી રહે છે, કારણ કે, બંન્ને પક્ષોના લોકો ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપે છે. કોંગ્રેસના સિલચરના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઘટનાની મુલાકાત લીધી હતી, પરંતુ પ્રશાસનનો કોઈ અધિકારી મળ્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details