હૈદરાબાદ: તેલંગાણામાં કોરોના વાઇરસનો સંક્રમણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકાર ફરીથી લોકડાઉન લાગુ કરવાનું વિચાર કરી રહી છે. દરમિયાન તેલંગાણાના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. તેમની સારવાર હૈદરાબાદની જ્યુબિલી હિલ્સની એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે.
તેલંગાણાના આરોગ્ય પ્રધાને ગૃહ પ્રધાન મહમૂદ અલી કોરોના સંક્રમિત છે તે અંગે પુષ્ટિ કરી હતી. મહમૂદ અલીની સાથે તેમના એક સંબંધી પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે. રવિવારે મોડી રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.