ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેજસ્વી યાદવે રાઘોપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

વિપક્ષી નેતા તેજસ્વી યાદવે રાઘોપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જે બાદ તેમણે સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કર્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

By

Published : Oct 14, 2020, 8:23 PM IST

તેજસ્વી યાદવે રાઘોપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
તેજસ્વી યાદવે રાઘોપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

વૈશાલી(બિહાર): વિપક્ષ નેતા તેજસ્વી યાદવે રાઘોપુર વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે તેજ પ્રતાપ યાદવ પણ તેમની સાથે હાજર હતા અને તેમણે બિહારમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

તેજસ્વી યાદવે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, નીતિશ કુમાર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શક્યો, જ્યારે પટના યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો નથી. જો અમારી સરકાર બને છે, તો અમે તમામ શિક્ષકોને નિયમિત કરીશું અને સમાન કામને બદલે સમાન પગાર આપીશું. તેમજ 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપીશું.

તેજસ્વી યાદવે નિત્યાનંદ રાયના નિવેદન વિશે કહ્યું કે, કોણ શું કહે છે. તેનાથી મને કોઇ ફર્ક પડતો નથી. આ ચૂંટણીમાં અમારી સરકાર બનવા જઇ રહી છે. બિહારની જનતાએ મહાગઠબંધનને પૂર્ણ સમર્થન આપ્યું છે. જનતાએ એક મૂડ બનાવ્યો છે કે એનડીએની સરકારને જડમૂળથી કાઢી નાખવું પડશે.

ABOUT THE AUTHOR

...view details