મુંબઇ : મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પાસે એક શખ્સ કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યો છે, ત્યારબાદ બીએમસીએ સરકારી ગેસ્ટ હાઉસની આસપાસના વિસ્તારને સીલ કરી પોસ્ટર લગાવ્યા છે. સંક્રમિત વ્યક્તિની વિસ્તારમાં ચાની દુકાન છે.
બીએમસી વિસ્તારને સંક્રમણથી મુક્ત કરવા સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ચા વાળો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા બાદ આસપાસના વિસ્તારના 4 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીએમસીની ટીમ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે.