ગુજરાત

gujarat

સ્વામી અગ્નિવેશની CAA મુદ્દે ETV ભારત સાથે ખાસ વાતચીત

By

Published : Jan 23, 2020, 8:29 PM IST

Updated : Jan 23, 2020, 9:40 PM IST

CAA નાગરિકતા સુધારા કાયદો અને NPR (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર)-NRCનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ વિશષ પર ETV ભારતે સમાજસેવક સ્વામી અગ્નિવેશ સાથે ખાસ વાતચીત કરી હતી.

CAA
સ્વામી

બેંગલુરૂ: નાગરિકતા સુધારા કાયદા (CAA) અને NRCનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આસામમાં શરુ થયેલા આ વિરોધ પ્રદર્શનનો હવે દેશમાં થઇ રહ્યા છે, જેમાં 20થી વધારે લોકોના મોત થયા છે.

CAA અને NRC રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર અને NPRનો વિરોધ થઇ રહ્યો છે. આ મુદ્દે etv ભારતે સ્વામી અગ્નિવેશ સાથે વાતચીત કરી હતી.

સ્વામી અગ્નિવેશની CAA મુદ્દે ETV ભારતની ખાસ વાતચીત

સ્વામી અગ્નિવેશએ કહ્યું કે, CAA, NRC, NPR વિરૂદ્ધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. જે સરકાર માટે મોટો પડકાર છે. આ પડકાર દેશના વિદ્યાર્થીએ સ્વીકાર્યો છે. જામિયા મિલિયા ઇસ્યામિયામાં શાંતિપૂર્ણ પ્રદર્શન શરુ હતું અને પોલીસે લાઠીચાર્જ કર્યો તેમ છંતા વિદ્યાર્થીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્વામી અગ્નિવેશે કહ્યું કે, શાહિન બાગમાં માતાઓ અને બહેનો ઠંડીમાં વિરોધ કરી રહી છે. જે મહિલાઓની શક્તિનું પ્રદર્શન છે.

અગ્નિવેશે કહ્યું કે, અત્યારે બંધારણના મૂલ્યોને જાળવી રાખવાની જરુર છે.

સ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ આંદોલન કોઇ પણ ધર્મ અને રાજકિય પાર્ટીનું નથી, આ એક જન આંદોલન છે.

Last Updated : Jan 23, 2020, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details