નવી દિલ્હી: 2014માં સુપ્રીમ કોર્ટમાં આ મામલે અંસલ ભાઈઓ, (સુશીલ અંસલ અને ગોપાલ અંસલ) પર 30-30 લાખ રૂપિયોનો દંડ ફટકારી જામીન આપી દીધાં હતાં. પીડિત પક્ષના તરફથી અંસલ ભાઈઓને જેલમાં મોકલવાની માગને લઇને અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પર સુનાવણી કરતા કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
ઉપહાર સિનેમા અગ્નિકાંડ: પીડિતોને ઝટકો, SC ક્યૂરેટિવ અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં પીડિતોના પક્ષની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે 1997માં થયેલા અગ્નિકાંડના પીડિતોની ક્યૂરેટિવ પટિશન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, રિયલ એસ્ટેટ કારોબારી અંસલ ભાઈઓની સજાને આગળ વધરવામાં નહીં આવે.
સિનેમા
ઉલ્લેખનીય છે કે, 13 જૂન 1997એ ઉપહાર સિનેમામાં હિન્દી ફિલ્મ બોર્ડરના પ્રદર્શન દરમિયાન આગ લાગી હતી. જેમાં 59 લોકોના મોત થયાં હતાં.