ગુજરાત

gujarat

By

Published : Aug 7, 2019, 2:51 AM IST

Updated : Aug 7, 2019, 4:40 AM IST

ETV Bharat / bharat

40 વર્ષ પહેલા કેબિનેટ પ્રધાન તરીકે દૂર કરાયાં: પછી આ રીતે સર કરી સત્તાની સીડી

ન્યૂઝ ડેસ્કઃ માત્ર 25 વર્ષની ઉંમરે રાજકીય સફર શરૂ કરનાર સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટ 2019ના રોજ નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમય છે. સુષમા સ્વરાજ એવો રાજકીય ચેહરો હતો જેમને દરેક પક્ષ તરફથી પ્રેમ અને સન્માન મળ્યું છે. રાજકારણમાં મહિલાઓનું જ્યારે કોઇ અસ્તિત્વ નહોતું ત્યારે જનતા પક્ષમાંથી પહેલાં મહિલા કેબિનેટ પ્રધાન બનનાર સુષમા સ્વરાજ હતા. જેમને હરિયાણા કેબિનેટ પદ પરથી અચાનક હટાવાયા હતા. સામાન્ય સંજોગોમાં આવી ઘટના પછી કોઈ પણ નેતા નાસીપાસ થાય છે. પરંતુ આ બનાવ પછી તેમની રાજકીય કારકીર્દી વેગ મળ્યો. સુષ્મા સ્વરાજની રાજકીય સફર અદ્દભૂત છે.

શા માટે 40 વર્ષ પહેલાં સુષમા સ્વરાજને હરિયાણા કેબિનેટ પદ પરથી હટાવાયા?  જાણો શું હતી ઘટના

સુષમા સ્વરાજને રાજકારણ વારસામાં નહોતું મળ્યું. 1975માં લદાયેલી કટોકટીમાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. કટોકટી પછી તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. 1977માં જનતા પાર્ટીમાં જોડાયા અંબાલા છાવણી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી અને જીત્યા. આ પછીની રાજકીય સફરમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં.

શા માટે 40 વર્ષ પહેલાં સુષમા સ્વરાજને હરિયાણા કેબિનેટ પદ પરથી હટાવાયા? જાણો શું હતી ઘટના

21 જૂન 1977માં પહેલીવાર દેવી લાલ ચૌધરી હરિયાણાના મુખ્યપ્રધાન બન્યાં હતાં. જનતા પાર્ટીએ 90માંથી 75 બેઠક પર જીત મેળવી હતી. પ્રધાનમંડળ બનાવવું તેમના માટે સૌથી મોટો પડકાર હતો. વધુમાં વધુ 10 જ પ્રધાન બની શકતાં હતાં. તેમાં પણ જનતા પાર્ટીના દબદબો હતો. કોઇની પાસે બે ધારાસભ્ય તો કોઇ પાસે 45. આમ, પ્રધાન પદ માટેની ખેંચતાણ શરૂ થઈ. આખરે 6 પ્રધાન બન્યાં. તેમાનાં એક સુષમા સ્વરાજ હતાં. આ વખતે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેમણે કેબિનેટ પ્રધાનનું પદ સ્વીકાર્યુ. પણ આ પદ તેમની પાસે લાંબો સમય ટક્યું નહોતું. 17 નવેમ્બર 1977ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસમાં સમાચાર છપાયાં કે, અચાનક સુષમા સ્વરાજ પાસેથી કેબિનેટ પ્રધાન પદ છીનવી લેવાયું છે. તે સમયે તેઓ હાઉસીંગ મિનિસ્ટર હતાં. સરકારની આલોચના કરવાની તેમને સજા મળી હતી. જો કે, સરકાર દ્વારા સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નહોતું. પણ સત્તાવાર રીતે જાહેર કરાયેલાં નિવેદનમાં જણવવામાં આવ્યું હતું કે, સુષમા પાસે હાઉસીંગ, જેલ, આર્ટીટેક્ચર, પ્રિન્ટીગ અને સ્ટેશનરી તેમજ કલ્ચરલ અફેયર્સના પોર્ટફોલિયો હતા. તે મુખ્યપ્રધાન દેવીલાલે પોતાની પાસે આચંકી લીધા.

શા માટે 40 વર્ષ પહેલાં સુષમા સ્વરાજને હરિયાણા કેબિનેટ પદ પરથી હટાવાયા? જાણો શું હતી ઘટના

સુષમાને મંત્રાલય સમાજવાદી જૂથમાંથી મળ્યું હતું. તેમના જૉર્જ ફર્નાડીઝ સાથે સારા સંબંધ હતા. તેમને પ્રધાન પદથી હટાવવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો. તે સમયે સરકારમાં દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાનો પ્રભાવ હતો. દેવીલાલ તેમના પૂત્રનું કહ્યુ કરતા હતા. જે લોકો ઓમપ્રકાશ ચૌટાલાને પસંદ નહોતા કરતાં તે જૂથમાં રહી શકતાં નહોતા. એવામાં પ્રધાન પદ પર રહેવું મુશ્કેલ હતું. સુષમા પણ આ યાદીમાં સામેલ હતાં. વળી એ સમયે સુષમાએ પણ સરકારની આલોચના કરીને એમને તક આપી દીધી, ઓમપ્રકાશે તેનો ફાયદો ઉઠાવી સુષમાને કેબિનેટ પ્રધાન પદથી હટાવવાની રાજરમત રમી અને તેઓ સફળ પણ થયાં.

શા માટે 40 વર્ષ પહેલાં સુષમા સ્વરાજને હરિયાણા કેબિનેટ પદ પરથી હટાવાયા? જાણો શું હતી ઘટના

1979માં ઓમપ્રકાશ ચૌટાલાની જરૂર કરતાં વધારે પડતી દખલગીરીને કારણે તેમની સરકાર પડી ભાંગી. દરેક તેમના વર્તનથી અસંતુષ્ટ હતા. આખરે દેવીલાલને પણ આ વાતનું ભાન થયું. આ કારણ હતું કે, 1987માં દેવીલાલની ફરી સરકાર બની અને તેઓ મુખ્યપ્રધાન બન્યા. ત્યારબાદ તેઓ ઓમપ્રકાશની વાતને વધુ મહત્વ નહોતા આપતા. તેમજ ઓમપ્રકાશને દેવીલાલની ઓફિસ સુધી પણ જવાની પરવાનગી નહોતી. ચૂંટણી પહેલાના આંદોલનોમાં પણ ઓમપ્રકાશને દૂર રાખવામાં આવ્યા હતા.

આ બધાની વચ્ચે સુષમા સ્વરાજની રાજકીય સફર અવિરત ચાલતી હતી. 1979માં જનતા પાર્ટીએ તેમને હરિયાણાના પ્રવક્તા બનાવ્યાં. રાજકારણમાં પહેલીવાર કોઇ પક્ષમાંથી મહિલાને પ્રવક્તા બનાવવામાં આવી હતી. સુષમાએ પોતાની રાજકીય કારકિર્દી 1970માં ભાજપની વિદ્યાર્થી પાંખ એવીબીપી દ્વારા શરૂ કરી હતી. પહેલી ચૂંટણી 1977માં અંબાલાના કૈટની બેઠક પર જનતા પાર્ટીની ટિકિટથી લડ્યાં હતાં. 1996માં જ્યારે અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકાર બની ત્યારે તેમને સૂચના પ્રસારણ મંત્રાલયના કેબિનેટ પ્રધાન હતાં. 1998માં રાજીનામું આપી તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા. વર્ષ 2000માં તેમને ફરીથી સૂચના અને પ્રસારણ પ્રધાન બનાવવામાં આવ્યાં. તો 2014થી વિદેશપ્રધાન તરીકેની તેમની સક્રિયતા તો આપણે જોઇ જ છે.

સુષ્મા સ્વરાજને કુશળ વહીવટકર્તા, ઓજસ્વી વક્તા, સંસદમાં ગર્જના કરતાં સાંસદ અને સફળ રાજકારણી તરીકે દરેકને યાદ રહેશે.

Last Updated : Aug 7, 2019, 4:40 AM IST

ABOUT THE AUTHOR

...view details