ગુજરાત

gujarat

By

Published : Feb 9, 2020, 11:57 AM IST

ETV Bharat / bharat

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે તિરૂપતિની મંદિરની લેશે મુલાકાત

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ભારતની મુલાકાત પર છે, ત્યારે રાજપક્ષે મંગળવારે તિરુમાલાની ટેકરી પર આવેલા ભગાવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ મંદિરના દર્શનનો લ્હાવો લેશે.

Sri Lanka PM
Sri Lanka PM

તિરૂપતિઃ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે 11 ફેબ્રુઆરી તિરૂમાલાની ટેકરી પર આવેલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેવાના છે. આ મંદિરના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાચીન ટેકરી પર આવેલા મંદિરમાં વિશ્વાસ ધરાવતા રાજપક્ષે સોમવારે રાત્રે અહીં રેનિગુંટા એરપોર્ટ પહોંચશે.

મળતી માહતી પ્રમાણે, વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ભગવાન વેંકટેશ્વર દર્શન બાદ કોલંબો રવાના થશે. નોંધનીય છે કે, રાજપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પાંચ દિવસીય ભારતની મુલાકાતે છે.

ABOUT THE AUTHOR

...view details