લખનઉ: કોવિડ 19 લોકડાઉન દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમમાં વધારો જોવા મળ્યો હતો. આવીજ એક ઘટના ઉત્તરપ્રદેશના લખનઉમાં એસીપી અભયકુમાર મિશ્રા સાથે બની હતી.
સાયબર ક્રિમિનલો દ્વારા અભયકુમાર મિશ્રાના ફેસબુકને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમનુ ફેક એકાઉન્ટ બનાવીને સાયબર ક્રિમિનલો દ્વારા તેમના અમુક મિત્રો પાસેથી મેસેજ દ્વારા 5000 રુપિયાની માંગ કરી હતી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મિત્રએ ક્લેરિફિકેશન માટે તેમને ફોન કર્યો. ત્યારબાદ અભયકુમાર મિશ્રાએ બનાવની જાણ લખનઉના સાયબર ક્રાઇમ સેલને કરી હતી, જેમણે પ્રાથમિકતાના આધારે તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઈમ સેલમાં આવા ફેક એકાઉન્ટના બાર કેસ નોંધાયા છે- જ્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો અને સબંધીઓને છેતરપિંડીનો મેસેજ મોકલવામાં આવ્યો હોય.
ઘટના અંગે ટિપ્પણી કરતા સાયબર ક્રાઈમ એસીપી વિવેક રંજન રાયે કહ્યું હતું કે જો ઇન્ટરનેટ વપરાશકારો વધુ જાગૃત થાય તો આવા ગુનાઓથી બચી શકાય છે. "
રાયે ઇટીવી ભારતને કહ્યું કે, અમે એક જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આવી સાયબર ક્રાઈમ્સને રોકવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.
રાયે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, "આવી ઘટનામાં, વપરાશકર્તાએ તેનું પ્રોફાઇલ પિક્ચર લૉક રાખવું જોઈએ જેથી તેઓ દ્વારા ડાઉનલોડ ન થઇ શકે. બીજું, વપરાશકર્તાએ તેની / તેણીની મિત્રની માહિતી છુપાવવી જોઈએ."
આઇડેન્ટિટિ ક્લોનિંગ સામે પગલાં
શું કરવું જોઇએ?