ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં ચાંદીનો વરસાદ !! લોકો આશ્ચર્યમાં મુકાયા... - બિહારમાં રજત વરસાદ

સીતામઢીઃ  જરા વિચારો કે તમે સૂઈ રહ્યા છો અને સવારે ઉઠતાંની સાથે જ ચાંદીનો વરસાદ થાય તો કેવુ લાગે. હકીકતમાં, આવો જ એક કિસ્સો સુરાસંદ જિલ્લાના ભારત-નેપાળ સરહદ વિસ્તારનો છે. જ્યાં રાત્રે ચાંદીનો વરસાદ થયો હતો. સવારે લોકોએ આંખો ખોલી ત્યારે રસ્તા પર ચાંદી જોઇને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને વીણવા લાગ્યા હતા.

બિહારમાં થયો ચાંદીને વરસાદ, તે જોઇ લોકો તુટી પડ્યા

By

Published : Nov 7, 2019, 1:11 PM IST

Updated : Nov 7, 2019, 1:26 PM IST

રસ્તામાં ચાંદી કેવી પડ્યું તે અંગે સસ્પેન્સ

લોકોએ સુરસંદ નગર પંચાયત મુખ્ય મથકના બાબા ભીમરાવ આંબેડકર ટાવર ચોકથી જવાહરલાલ નહેરુ મેમોરિયલ કોલેજ બારોાહી સહસરામ રોડ સુધી જતા માર્ગ પર વિખરાયલું ચાંદી મળી આવ્યું. સવારે ચાંદીના વરસાદથી વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા હતા. લોકો શેરીઓમાં પથરાયેલા ચાંદીને ઘરે લઈ જવા લાગ્યા. દરેક લોકો એકબીજાને પૂછી રહ્યા હતા કે,આટલી મોટી માત્રામાં સુરસંદની શેરીઓમાં શુદ્ધ ચાંદી ક્યાંથી આવ્યું?

બિહારમાં થયો ચાંદીને વરસાદ, લોકો આશ્ચર્યમાં મુકાયા

દાણચોરીની આશંકા

રસ્તામાં ચાંદી કેવી પડી તે અંગે સસ્પેન્સ છે.જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ મધ્યરાત્રિના તસ્કરો નેપાળથી ચાંદીની દાણચોરી કરે છે. જ્યારે, આ દિવસોમાં ભારતીય નેપાળી ચલણનો લેણ-દેણનો વ્યવસાય સુરસંદમાં ચાલી રહ્યો છે. સુરાસંદમાં નેપાળી ચલણ લેવામાં આવે છે. નેપાળથી ભારતમા ચાંદી અને સોનું લાવવામાં આવે છે. પછી તેને સોના-ચાંદીના જથ્થાબંધ વેપારીઓને વેેંચવામાં આવે છે. તસ્કરો બાઇક પર ચાંદીનો કોથળો ભરીને રાત્રે નેપાળથી ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે. એવી આશંકા છે. કે આ દરમિયાન ચાંદી કોથળામાંથી બહાર રસ્તામાં પડી ગયુ હોય શકે.

માહિતી મળતા જ સુરસંદ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ દિવસોમાં સુરસંદ બ્લોક વિસ્તારમાં, ઘણા ભારતીય નેપાળી ચલણ લઇ આવે છે. વળી ભારતીય ક્ષેત્રમાં નેપાળ માંથી ચાંદી અને સોનું નેપાળી ચલણમાં લાવવામાં આવે છે. અને તયારબાદ જથ્થાબંધ વેપારીઓને સોના અને ચાંદી આપવામાં આવે છે.

Last Updated : Nov 7, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details