આગ્રા: તાજમહેલ માટે જાણીતું આગ્રા તેની એક વિશિષ્ટ પરંપરા માટે પણ ઓળખાય છે. આ પરંપરાના કેન્દ્રમાં છે એક ચાંદીની ચાવી.
રવિવારે આગ્રાના મેયર નવીનકુમાર જૈને પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ' જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશેષ આગ્રા શહેરનાં મહેમાન બને છે ત્યારે તેમને પ્રતિક સ્વરૂપે શહેરની ચાવી ભેટ તરીકે આપવામાં આવે છે. પરંપરા એવી છે કે, આ ચાવીની મદદથી આવેલા મહેમાન શહેરનું તાળુ ખોલી નગરમાં પ્રવેશે છે.' જો કે, આવું કોઈ તાળુ હોતું નથી પરંતુ તેવુ માની લેવામાં આવે છે.