ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન જરૂરી વસ્તુઓ, દવાની દુકાનો ખુલ્લી રહેશે: કેન્દ્ર સરકાર - લૉકડાઉન દરમિયાન જરૂરી વસ્તુઓ, દવાની દુકાનો ખુલી રહેશે: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે બુધવારે દેશવાસીઓને ભરોસો અપાવ્યો હતો કે, લૉકડાઉન દરમિયાન જરૂરી ચિજવસ્તુઓની અછત સર્જાવવા દેશે નહીં. જીવન જરૂરી ચીજવસ્તુઓ અને દવાની દુકાનો લૉકડાઉન દરમિયાન ખુલ્લી રહેશે તેવું કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. જેથી લોકોએ નિરાશ થવાની જરૂર નથી.

a
લૉકડાઉન દરમિયાન જરૂરી વસ્તુઓ, દવાની દુકાનો ખુલી રહેશે: કેન્દ્ર સરકાર

By

Published : Mar 25, 2020, 8:16 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. લૉકડાઉનના 21 દિવસ દરમિયાન કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. કાળા બજારી ન થાય તે માટે પણ સરકારે પૂરતા પગલા લીધા છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના સંયુક્ત સંકલનથી લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અસરકારક પગલા લેવાયા છે. કેટલીક જગ્યાએ મીડિયાકર્મીઓ અને તબીબોને એપાર્ટમેન્ટ ખાલી કરાવવાનું દબાણ થઈ હોવાની ઘટનાઓને જાવડેકરે વખોડી હતી. જનતા કરફ્યૂમાં જે રીતે લોકોએ થાળી અને તાળી વગાડી આ સેવાકર્મીઓને પ્રોત્સાહન આપ્યુ હતું તે યાદ અપાવ્યું હતુ. તેમણે કહ્યુ કે, સમાજે આ વાતને સમજવી જરૂરી છે.

પોતાના અને પોતાનાઓ માટે 21 દિવસ કાળજી રાખવા, ઘરમા રહેવા અને સામાજીક અંતર રાખવાની અપીલ જાવડેકરે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details