શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણં થઈ હતી. આ અથડામણમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજીવાર અથડામણ થઈ છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર - jammu kashmir news
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણં થઈ હતી. આ અથડામણમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજીવાર અથડામણ થઈ છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
![જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર jammu kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8070883-thumbnail-3x2-hfhf.jpg)
jammu kashmir
મળતી જાણકારી મુજબ, સેનાએ સમગ્ર વિસ્તારને ચોતરફથી ઘેરી લીધો છે. સુત્રોના જણાવ્યાનુસાર હાલ બંને પક્ષો તરફથી સામ સામે ફાયરિંગ થઈ રહ્યું છે. આ અગાઉ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સૈનિકોએ નિયંત્રણ રેખા પર ઘુષણખોરોને અટકાવતાં એક આતંકવાદીઓને ઠાર માર્યો હતો. જેની માહિતી સેનાના એક અધિકારીએ આપી હતી.
આ અંગે સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કેરન સેક્ટરમાં LOC નજીક સૈનિકોને શંકાસ્પદ ગતિવિધિ નજર આવી હતી અને તેમણે એક ઘૂષણખોરને ઠાર માર્યો હતો.