મુંબઈની આરે કૉલોનીમાં મેટ્રો કોચ શેડ માટે કરવામાં આવતા વૃક્ષના છેદન માટે અઠવાડીયા પહેલા જ ભારે વિરોધ થવા છતાં શિવસેનાએ પોતાના મેનીફેસ્ટોમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા તેમના દિકરા આદિત્ય ઠાકરેએ પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
શિવસેનાએ મહારાષ્ટ્રમાં 1000 ફૂડ જોઈન્ટ સ્થાપવાની વાત કહી છે, જેમાં માત્ર 10 રુપિયામાં ભોજન મળશે.