ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર અથડામણઃ નિવૃત્ત જજ શશીકાંત અગ્રવાલ બિકરુ પહોંચ્યા

કાનપુરના ચૌબેપુરના બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીની હત્યાની ન્યાયિક તપાસ થશે. વિકાસ દુબે અને તેના સાથીદારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જેના માટે સરકારે તપાસ પંચની રચના કરી છે. નિવૃત્ત જસ્ટિસ શશીકાંત અગ્રવાલને આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

By

Published : Jul 13, 2020, 6:45 PM IST

shashikant agarwal reached bikru village
કાનપુર અથડામણઃ નિવૃત્ત જજ શશીકાંત અગ્રવાલ બિકરુ પહોંચ્યા

કાનપુરઃ કાનપુરના ચૌબેપુરના બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીની હત્યાની ન્યાયિક તપાસ થશે. વિકાસ દુબે અને તેના સાથીદારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જેના માટે સરકારે તપાસ પંચની રચના કરી છે. નિવૃત્ત જસ્ટિસ શશીકાંત અગ્રવાલ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જસ્ટિસ શશીકાંત અગ્રવાલ આજે બિકરૂ ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા અધિકારી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તે દરમિયાન ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલે 2 મહિનામાં 5 મુદ્દા પર પોતાનો અહેવાલ સરકારને આપ્યો છે. તપાસ પંચનું મુખ્ય મથક કાનપુર મહાનગરમાં આવશે. જેનો કાર્યકાળ 2 મહિના માટે નક્કી કરવામાં આવ્યો છે. નોટિફિકેશન ગઈકાલે રવિવારે જારી કરવામાં આવી હતી. પોલીસ અને ગુનેગારો વચ્ચે બિકરૂ ગામની ઘટના દરમિયાન અને ત્યારબાદ 3થી 10 જુલાઇ દરમિયાન આ આખા ઘટનાક્રમને લગતા મહત્વના વિષયની તપાસ માટે તપાસ પંચની રચના કરવામાં આવી છે. આ તપાસ પંચની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ શશીકાંત અગ્રવાલ કરશે.

ABOUT THE AUTHOR

...view details