ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ હવે ભગવાનના ભરોસે: શરદ યાદવ

નવી દિલ્હી: NDAના પૂર્વ સહયોગી અને હવે તેમના વિરોધી શરદ યાદવે PM મોદી અને ભાજપ અધ્યક્ષ અમિતશાહની આધ્યાત્મિક યાત્રા પર રમૂજ કરી રહ્યા છે. યાદવે કહ્યું કે, તેઓ હવે કંઇ પણ કરી લે ભગવાન તેમને કામ નહી આવે. તેઓ કોઇ પણ મંદિરમાં જાય તેમની હાર નક્કી છે.

By

Published : May 18, 2019, 6:14 PM IST

Updated : May 18, 2019, 6:43 PM IST

sharad

શરદ યાદવે મોદીની કેદારનાથ યાત્રા પર કહ્યું કે, BJPને ભ્રમ છે કે ભગવાન તેમને 2019ની ચૂંટણી જીતવામાં મદદ કરશે. આ માટે જ તેઓ ભગવાનના દર્શન કરી રહ્યાં છે.

મળતી માહિતી મૂજબ, શનિવારે શરદ યાદવે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને તેલુગુદેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે NCP પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી, તેમણે NDA સિવાયના પક્ષોને સાથે લાવવા પર વિચાર પણ કર્યા.

ભાજપને હવે ભગવાનને ભરોસે: શરદ યાદવ

શરદ યાદવે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધન બીજી બધી જ પાર્ટીઓ પર ભારી પડશે. તેમણે કહ્યું કે બિહારને અલગ રાજ્ય આપવાનો દાવો કરીને JDU જનતાને ગુમરાહલ કરી રહી છે.

બીજી તરફ આજે ચંદ્રબાબુ નાયડુએ પણ NCP અધ્યક્ષ શરદ પવારની મુલાકાત કરીને દેશની રાજનૈતિક ધટનાઓ પર ચર્ચા કરી હતી.

Last Updated : May 18, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details