ગુજરાત

gujarat

ભાજપ-શિવસેનાનું કોકડું ગુચવાયું, અમિત શાહનો મુંબઈ પ્રવાસ રદ

By

Published : Sep 25, 2019, 11:18 AM IST

Updated : Sep 25, 2019, 1:01 PM IST

મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે બેઠક વહેંચણીનું કોકળું ગુચવાયું છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનો મુંબઇનો પ્રવાસ રદ કર્યો છે. શાહની યાત્રા રદ થવાની સાથે જ એ ખાતરી છે કે, ટૂંક સમયમાં જ મહાગઠબંધનની ઘોષણા કરવામાં આવશે.

etv bharat amitshah

ભાજપ અધ્યક્ષ અમિત શાહે 26 સપ્ટેમ્બરનો મુંબઇનો પ્રવાસ રદ કર્યો છે. પાર્ટીસૂત્રો અનુસાર, મળતી માહિતી મુજબ આ પ્રવાસ એ સમયે રદ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાતની આશા હતી. ભાજપના રાજ્ય એકમના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે, ગૃહપ્રધાન અમિત શાહનો મુંબઇનો ગુરુવારનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. બેઠકની ઘોષણામાં હજી થોડો સમય લાગશે.

Last Updated : Sep 25, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details