ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબરી ધ્વંસની વર્ષગાંઠને ધ્યાને રાખી અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત - security tighten in ayodhya

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી ધ્વંસની 27મી વર્ષગાંઠને પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુપીના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) પીવી રામ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ વિવાદની ઘોષણા દરમિયાન અયોધ્યામાં જેવી સુરક્ષા હતી તેવી જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ayodhya
ayodhya

By

Published : Dec 6, 2019, 5:43 AM IST

બાબરી ધ્વંસની 27મી વર્ષગાંઠને ધ્યાને રાખી પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને સમગ્ર અયોધ્યામાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રામ શાસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, 6 ડિસેમ્બરે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા 9 નવેમ્બરના સુઘી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, ચુકાદાના દિવસે જેવી જ સુરક્ષા વ્યવસ્થા આજે પણ રાખવામાં આવશે.

આ સાથે અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધ્યક્ષ આશીષ તિવારીએ કહ્યું કે, સમગ્ર જિલ્લાને 4 ક્ષેત્રોમાં, 10 સેક્ટર અને 14 ઉપ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે.

તિવારીએ કહ્યું કે, 305 અસામાજીક તત્વોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નવ ત્વરિત એક્શન ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું, 'કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે પાંચ ધરપકડ પક્ષની રચના કરવામાં આવી છે. આ સિવાય 10 અસ્થાયી કારાવાસ બનાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જનતાને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અફવાનો શિકાર ન બને અને સજાગ રહે.

ABOUT THE AUTHOR

...view details