નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં આજીવન સજા ભોગવનારા કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે, ઉનાળાની રજાઓમાં તેમની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુખ્ય જજ એસ.એ.બોબડે, જજ બી.આર.ગવઈ અને જજ સૂર્ય કાન્તની બેન્ચે શુક્રવારે એ પણ કહ્યું કે, તે સબરીમાલા સંદર્ભ કેસમાં સુનાવણી પૂર્ણ કર્યા બાદ કુમારના સ્વાસ્થ્ય અંગેના એમ્સના આરોગ્ય રિપોર્ટ પર ચર્ચા કરશે.