ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ન્યાયાધીશો પર અભદ્ર ટિપ્પણીના કિસ્સામાં સોગંદનામું દાખલ કરવામાં આવશે: સુપ્રીમ કોર્ટ - આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ ટ્વિટર પર અભદ્ર ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ ટ્વિટર પર અભદ્ર ટિપ્પણીના કેસમાં રાજ્ય ચૂંટણી કમિશનર એન રમેશકુમારથી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેની રજૂઆત હેઠળ એક અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

sc
sc

By

Published : Jul 24, 2020, 10:32 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ ટ્વિટર પર અભદ્ર ટિપ્પણીના કેસમાં રાજ્ય ચૂંટણી કમિશનર એન રમેશકુમારથી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેની રજૂઆત હેઠળ એક અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

રમેશ કુમારે દાવો કર્યો હતો કે, આંધ્રપ્રદેશ રાજ્ય ચૂંટણી કમિશનર કેસમાં હાઇકોર્ટના નિર્ણય બાદ ટ્વિટર પર ન્યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી, કેમ કે હાઈકોર્ટે તેમની નિમણૂંક ફરીથી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને માહિતી આપી હતી કે ન્યાયાધીશો વિરુદ્ધ ખૂબ વાંધાજનક ટ્વીટ્સ કરવામાં આવી હતી, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશોને કોવિડ દર્દીઓ સાથે બંધ કરી દેવા જોઈએ.

આંધ્રપ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ તેની સુનાવણી કરી હતી.

જોકે, હવે જગન સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

હકીકતમાં, આંધ્રપ્રદેશની જગનમોહન રેડ્ડી સરકારે રાજ્યના ચૂંટણી કમિશનર રમેશકુમારને વટહુકમ દ્વારા દૂર કરવા માટે તેમનો કાર્યકાળ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કર્યો હતો. રાજ્ય સરકારે મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ વી કનાગરાજને નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા.

ABOUT THE AUTHOR

...view details