નવી દિલ્હી : ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની બેન્ચ દ્વારા લેવામાં આવ્યો છે.
કોર્ટનું માનવું છે કે, ભારતીય નૌસેનામાં કાયમી કમિશન આપવા માટે પુરૂષ અને મહિલા બંને અધિકારીઓ સાથે સમાન રુપે વ્યવહાર કરવામાં આવે તે યોગ્ય છે. કોર્ટે નૌસેનામાં મહિલા અધિકારીઓને પ્રવેશવાની અનુમતિ આપવા માટે કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કાયમી કમિશન એક અધિકારીને નૌસેનામાં ત્યાં સુધી સેવા કરવાનો અધિકાર આપે છે, જ્યાં સુધી તે શોર્ટ સર્વિસ કમિશનના (SSC) વિપરીત સેવા નિવૃત ન થઇ જાય. જે વર્તમાનમાં 10 વર્ષ માટે છે અને તેને ચાર વર્ષ અથવા કુલ 14 વર્ષ સુધી વધારી શકાશે.