ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલમાં યુવાનોએ ભંગારમાંથી બનાવી સેનિટાઈઝર ટનલ... - કોરોના વાઇરસ લોકડાઉન

હિમાચલનાં હમીરપુરમાં રહેતા ચાર પ્રગતિશીલ યુવકોએ ભંગારમાંથી સેનિટાઈઝર ટનલ તૈયાર કરી છે. હમીરપુરના લગવાન ગામના આ યુવકો હવે તેને નિષ્ણાંતોની દેખરેખ માટે ગામના રોડ પર મૂકવા માંગે છે, જેથી કર્ફ્યુ છૂટછાટ દરમિયાન ત્યાં આવતા લોકોને તેનો લાભ મળે.

etv bharat
હિમાચલ પ્રદેશ: હમીરપુરના યુવાનોએ ભંગારમાંથી સેનિટાઈઝર ટનલ બનાવી

By

Published : Apr 16, 2020, 10:34 PM IST

શિમલા: વિશ્વભરમાં કોરોના વાઇરસને લઇને ભયનો માહોલ ફેલાયો છે. જેનાથી સંક્રમણથી બચવા માટે સેનિટાઇજેશન એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે. વ્યક્તિને સેનિટાઇઝર કરવા માટેનું એક સાધન છે. એ છે સેનિટાઇઝર ટનલ. આ ટનલની ચર્ચા અત્યારે ઘણા દેશોમાં થઈ રહી છે અને તેનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવી રહ્યો છે.

હિમાચલ પ્રદેશ: હમીરપુરના યુવાનોએ ભંગારમાંથી સેનિટાઈઝર ટનલ બનાવી

તે જ સમયે, ઉત્તર પ્રદેશના હમીરપુરના લગવાન ગામના ચાર પ્રગતિશીલ યુવાકોએ ભંગારમાંથી આ સેનિટાઈઝર ટનલ તૈયાર કરી છે. પંચાયતી રાજ વિભાગના જુનિયર ઇજનેર પંકજ કાનુંગો, જુનિયર ઇજનેર સુનિલ અને મિસ્ત્રી શેરસિંહે પણ સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા ટિકર ખાત્રનમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર અજય શર્માની દેખરેખમાં માત્ર ત્રણ દિવસમાં બનાવવામાં આવેલી આ ટનલમાં ફાળો આપ્યો હતો.

ઇટીવી ભારતના સંવાદદાતા લગવાન ગામે પહોંચ્યા હતા અને ભંગારમાંથી તૈયાર કરાયેલી આ સેનિટાઇઝર ટનલના ઉત્પાદકો સાથે વાત કરી હતી. અજય શર્માએ કહ્યું કે ટીમે તેનો ટ્રાયલ કરી લીધુ છે. હવે તે તેને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ગામના રોડ પર મૂકવા માંગે છે, જેથી ત્યાં આવતા લોકોને તેનો લાભ કર્ફ્યુ રાહત દરમિયાન મળી રહે. તેઓ માને છે કે તંત્ર તેને તેના નિયંત્રણમાં લઈ શકે છે અને જિલ્લા હોસ્પિટલમાં અથવા ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકે છે અને તેઓ આવી વધુ ટનલો પણ બનાવી શકે છે.

હિમાચલ પ્રદેશ: હમીરપુરના યુવાનોએ ભંગારમાંથી સેનિટાઈઝર ટનલ બનાવી

ટનલ બનાવવા માટે યુવાકોએ અહીં પોલીહાઉસમાં પડેલા પાઈપો, ટેન્ટ હાઉસનો નકામો સામન અને નકામા એડ્વર્ટાઇઝિંગ બોર્ડથી કવર કર્યુ છે. લગભગ સાત ફુટ લાંબી, ત્રણ ફુટ પહોંળી અને નવ ફૂટ ઉંચાઈવાળી ટનલમાં સેનિટાઇઝર સ્પ્રે માટે 24 પોઇન્ટ છે. આની મદદથી વ્યક્તિ ભીના થયા વિના અડધાથી એક મિનિટમાં માથાથી પગ સુધી સેનિટાઇઝ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details