ગુજરાત

gujarat

By

Published : Oct 27, 2019, 6:49 PM IST

ETV Bharat / bharat

6 ડિસેમ્બરથી શરુ થશે રામ મંદિરનું નિર્માણ: સાક્ષી મહારાજ

લખનઉઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવ બેઠકના સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર અંગે નિવેદન આપ્યુ હતું કે, 6 ડિસેમ્બરથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરુ થઈ જશે.

6 ડિસેમ્બરથી શરુ થશે રામ મંદિરનું નિર્માણ: સાક્ષી મહારાજ

સાક્ષી મહારાજે કહ્યું હતું કે,' સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને હું ધન્યવાદ આપુ છું. જેમણે બંને પક્ષોને બહુ ગંભીરપણે સાંભળ્યા. મને લાગે છે કે 6 ડિસેમ્બરથી અયોધ્યામાં રામ મંદિર બનવાનું શરૂ થઈ જશે.'

મહારાજે ઉમેર્યુ હતું કે,' અમને વિશ્વાસ છે કે રામ મંદિર અંગે જે પણ નિર્ણય આવશે તે મોદીજીની નેતૃત્વવાળી અને ગૃહપ્રધાન અમિત શાહના કાર્યકાળમાં હિંદુ-મુસલમાન મળીને 6 ડિસેમ્બરથી ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ કરશે. આવું મારી અંતરઆત્મા કહે છે.'

સાક્ષી મહારાજે કહ્યું કે, પુરાતત્વ વિભાગે સર્વોચ્ચ અદાલતમાં તથ્યો રજૂ કર્યા હતાં. તેમજ શિયા વકફ બોર્ડે લખીને આપ્યુ છે કે, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ.

મહારાજે એમ પણ જણાવ્યુ હતું કે, જે પ્રકારે કલમ 370, 35 A ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખતમ કરી છે. તે જ રીતે આ નિર્ણય પણ માઈલસ્ટોન સાબિત થશે. માત્ર સુપ્રિમ કોર્ટને જ નહીં તે મુસલમાનોને પણ તેનો શ્રેય જશે જેમણે સમર્થન કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details