જેસલમેર: કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે કહ્યું કે નારાજ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ સાથે વાટાઘાટો કરવા માગતા હોય તો તેમણે ભાજપનો સાથ અને હરિયાણા પોલીસની સુરક્ષા છોડી દેવી જોઈએ.
બળવાખોર ધારાસભ્યોએ ભાજપ છોડી દેવું જોઈએ: રણદીપ સુરજેવાલા - રાજસ્થાનના રાજકીય ઘમાસાણ
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જો બળવાખોર ધારાસભ્યો પક્ષ સાથે વાત કરવા માગતા હોય તો તેઓએ ભાજપનું સાથ અને હરિયાણા પોલીસની સુરક્ષા છોડી દેવી જોઈએ.
![બળવાખોર ધારાસભ્યોએ ભાજપ છોડી દેવું જોઈએ: રણદીપ સુરજેવાલા રણદીપ સુરજેવાલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8292901-309-8292901-1596546414859.jpg)
અસંતુષ્ટ લોકો માટે દરવાજા ખુલ્લા હોઇ શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ માનેસરમાં હરિયાણા પોલીસની સુરક્ષા છોડી દેશે અને ભાજપનો સાથ છોડીને મિત્રતા કરશે તો તે શરતે વાતચીત કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુની તપાસના સંદર્ભમાં બિહાર પોલીસનો દખલ અયોગ્ય હતો કારણ કે તે મહારાષ્ટ્ર પોલીસનો અધિકારક્ષેત્ર હતો.તેમણે કહ્યું કે બિહાર પોલીસ મહારાષ્ટ્ર પોલીસના અધિકારક્ષેત્રમાં દખલ કરી શકે નહીં. આવી સ્થિતિમાં અરાજકતા ઉભી થઈ શકે છે કારણ કે રાજ્યમાં કાયદાનું અમલીકરણ કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે.