ગુજરાત

gujarat

ETV Bharat / bharat

‘પર્યાવરણ બચાવો, ઝાડ ઉગાડો‘ના સ્લોગન સાથે રથયાત્રામાં પર્યાવરણ બચાવવાનો મેસેજ અપાયો - Go green

ગાંધીનગર: રથયાત્રામાં દર વર્ષે ઠાકોરનું આકર્ષણ રહે છે. રથયાત્રામાં દર વર્ષે અલગ-અલગ મેસેજ આપવામાં આવે છે. જ્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા ગો ગ્રીન એટલે કે "પર્યાવરણ બચાવો, ઝાડ ઉગાડો" તે અંગે ખાસ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે 142મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ આ મેસેજને આગળ વધારવામાં આવ્યો હતો.

massage

By

Published : Jul 4, 2019, 9:15 AM IST

ગ્લોબલ વોર્મિંગને કારણે દેશ અને દુનિયામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે તમામ દેશ દ્વારા પર્યાવરણ બચાવવાના ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતની રથયાત્રામાં પણ પર્યાવરણને બચાવવા માટેનો એક ખાસ મેસેજ સાથે ટ્રક તૈયાર કરવામાં આવ્યો હતો. જે શરૂઆતથી જ લોકોમાં આકર્ષણ રીતે રહ્યો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો, દર ચોમાસાની પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા હજારો જેટલા વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરવામાં આવે છે. ત્યારે આ રીતે રથયાત્રામાં ટ્રકને જે પર્યાવરણની થીમ પર શણગારવામાં આવ્યો છે. તે અમદાવાદ કોર્પોરેશનની સરાહનીય કામગીરી ગણી શકાય.

ગ્રીન સીટીના મેસેજ સાથે રથયાત્રામાં ટ્રકની શોભાયાત્રા

ABOUT THE AUTHOR

...view details