ગુજરાત

gujarat

By

Published : May 15, 2020, 7:37 PM IST

ETV Bharat / bharat

બેગૂસરાયના રામપૂકરે પોતાના બાળકના મોતના સમાચાર સાંભળી પગપાળા વતનની વાટ પકડી

બિહારના બેગુસરાયનો રહેવાસી રામપૂકર પોતાના 8 મહિનાના બાળકના મોતના સમાચાર સાંભળીને બેગૂસરાય માટે દિલ્હી જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જે બન્યું તે સાંભળીને તમે બધાએ પણ રહેશો કે, ભગવાન આવું કોઈના જોડે ન કરે. વાંચો પુરા સામાચાર...

Rampukar reached home with the help of DM of East Delhi
બેગૂસરાયનો રામપૂકરે પોતાના બાળકના મોતના સમાચાર સાંભળી પગપાળા વતનની વાટ પકડી

નવી દિલ્હી / ગાઝિયાબાદ: દિલ્હીના નવાડામાં કામ કરતા મજૂર રામપૂકરની વાર્તા આંખોમાં આંસુ લાવી દે એવી છે. મૂળ બિહારના બેગૂસરાના રામપૂકરને દિલ્હીમાં ખબર પડી કે, તેનું 8 મહિનાના માસૂમ બાળકનું મોત થયું છે. આ પછી તે પગપાળા ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ 3 દિવસ સુધી ગાઝીપુર ફ્લાયઓવરની નીચે દિલ્હી અને યુપીની સરહદ પાસે બેઠો હતો. પોલીસે તેમને આગળ જવા દીધા નહીં.

આમ, 2 દિવસ સુધી ખોરાક મળ્યો, પરંતુ ત્રીજા દિવસે કોઈએ ખોરાક આપ્યો નહીં. રામપૂકરે આરોપ લગાવ્યો હતો કે, શરૂઆતમાં પોલીસે બોર્ડર પર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે કોઈને તેના પર દયા ન આવે ત્યારે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલે એને સાંભળ્યો અને કોન્સ્ટેબલે પૂર્વ દિલ્હીના ડીએમ અરૂણકુમાર મિશ્રાને રામપૂકરની વાર્તા કહી હતી.

પૂર્વ દિલ્હીના ડીએમએ રામપૂકારના બાળકના મોતનો સમાચાર સાંભળતાંની સાથે જ તેણે એક ખાસ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી આપી. પોલીસની મદદથી રામપૂકરને નવી દિલ્હીથી બેગુસરાય મોકલવામાં આવ્યો હતો. રામકુકર પોતાના ગામ પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે, રામની પત્ની લોકડાઉનને કારણે નિર્દોષ બાળકની સારવાર કરાવી શકી નહીં, કારણ કે સારવાર માટે પૈસા નહોતા. બાળકના મોત બાદ રામપુકર ઉંડા આઘાતમાં ચાલ્યો ગયો છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નના ઘણા વર્ષો બાદ રામપૂકરના ઘરે બાળકનો જન્મ થયો હતો, પરંતુ લોકડાઉનની આ પરિસ્થિતિ આ બાળકને ગળી ગઈ. જેણે પણ રામપૂકરની કથા સાંભળી છે, એ લોકો પણ પ્રાર્થના કરી રહ્યાં છે કે, રામપૂકર જલદીથી સાજો થઈ જાય.

ABOUT THE AUTHOR

...view details