ગુજરાત

gujarat

By

Published : Jul 28, 2019, 10:44 AM IST

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈકની ભાજપમાં જોડાવવાની ઈચ્છા, મુંબઈમાં પાર્ટી માટે કામ કરશે

લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈકનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. ત્યારે રામ નાઈકે મુંબઈ જઈને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)માં સક્રિય સભ્ય તરીકે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇકે ભાજપમાં જોડાવવાની કરી ઇચ્છા વ્યક્ત

રામ નાઇકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "હું પહેલાં પણ રાજનીતિમાં સક્રિય હતો. જનપ્રતિનિધી તરીકે કામ કરતો હતો. વર્ષ 2014 પહેલાં મેં જાહેર કર્યુ હતું કે, હવે ચૂંટણી લડીશ નહીં. 2014માં મેં તાત્કાલિક સાંસદ ગોપાલ શેટ્ટીના એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યુ. રાજ્યપાલ બનતા પહેલાં મેં ભાજપામાંથી રાજીનામું આપ્યું હતું. અહી઼ંથી નીકળીને સૌ પ્રથમ ભાજપનો સભ્ય બનીશ. ત્યારબાદ પાર્ટી જે કામ આપશે તે પૂરા મનથી કરીશ. પણ ચૂંટણી લડીશ નહીં."

રામ નાઇકે પોતાની કારકિર્દી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "પાંચ વર્ષમાં મારા પર કોઇ પ્રકારનો આરોપ લાગ્યો નથી, પણ હા કેટલાંક લોકો છે, જેમને મારા વિશે ખરાબ બોલવાની આદત છે. એવા લોકોને બાદ કરતાં કોઈએ મારી પર આરોપ લગાવ્યો નથી. મારા વિશે કોણ શું બોલે છે, એનાથી મને કોઇ ફરક પડતો નથી. હું કોઈ રાજકીય નિવેદન પર ટીકા કે ટીપ્પણી કરવા ઈચ્છતો નથી."

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "બંધારણીય રીતે બંને સરાકર આપણી છે અને બંનેએ નિષ્ઠાપૂર્વક યોગ્ય સૂચનો આપ્યા છે. અહીં આવતા પહેલાં અખિલેશની સરકાર હતી. જેમની સાથે મારે સારો સંબંઘ હતો. તેમણે બંધારણના વિરોધમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મેં તેમને રોક્યા હતા. તેમણે વિધાનસભા પરિષદમાં કેટલાંક સભ્યોની યાદી મોકલી હતી. જેને મેં અટકાવી હતી. જેનું મેં તેમને કારણ પણ આપ્યું હતું. મારે જેમ અખિલેશ સાથે સારા સંબંધ હતા, તેવી જ રીતે યોગી આદિત્યનાથ સાથે પણ સારા સંબંધ છે."

રામ નાઇક વિશે રસપ્રદ માહિતી,

રામ નાઇકનો જન્મ 16 એપ્રિલ,1934માં મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. વર્ષ 1959માં ભારતીય સંઘમાં જોડાયા હતા. તેઓ ભાજપા મુંબઇના ત્રણ વાર અધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 1978માં પહેલીવાર ધારાસભ્ય અને પાંચવાર સાંસદ પદ માટે ચૂંટાયા હતા.

રામ નાઇક અટલજીની સરકારમાં વર્ષ 1999થી 2004 સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભારી) ગૃહ, યોજના, સંસદીય કાર્યના રાજ્યમંત્રી પણ રહ્યાં હતા. 25 સપ્ટેમ્બર 2013ની ચૂંટણીમાં રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમણે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વિજય મેળવ્યો હતો. આમ, જીવનના અનેક ઉતાર- ચઢાવમાંથી પસાર થઇને વર્ષ 2014માં તેઓ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details