અયોધ્યા: ભગવાન રામના જન્મસ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5 ઓગસ્ટે ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ભૂમિ પૂજન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. તમામ મુખ્ય સ્થળો પર વિશેષ કલાકૃતિઓ પેઇન્ટ કરવામાં આવી રહી છે. 4 અને 5 ઓગસ્ટે અયોધ્યામાં દીપોત્સવ ઉજવવાની તૈયારી છે. રામ નગરીમાં ભગવાન રામના મંદિરના ભૂમિપૂજન માટેની તૈયારીઓ વહેલી તકે કરવામાં આવી છે.
5 ઓગસ્ટના રોજ, જ્યારે પીએમ મોદી મંદિરનું ભૂમિ પૂજન કરશે, ત્યારે રામલલા નવરત્નો જડિત મખમલનાં વસ્ત્રોમાં જોવા મળશે. દિવસ મુજબ આ દિવસે ભગવાન લીલા કલરના વસ્ત્રોમાં જોવા મળશે. જ્યારે તમામ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, ત્યારે મંદિર નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, નવ ગ્રહોની સુસંગતતા માટે, ભગવાન નવરત્ન વસ્ત્ર સાથે સજ્જ થશે. રામલલા માટે વસ્ત્ર તૈયાર કરી રહેલા શંકરલાલ અને ભાગવત પ્રસાદે રામલલાની સાથે ભરત, લક્ષ્મણ શત્રુઘન, હનુમાન અને લાલજી દેવના વસ્ત્ર તૈયાર કર્યા છે.
અન્ય ગ્રહોના વસ્ત્રની સાથે રામલલા માટે પડદા અને ગાદીનો સંપૂર્ણ સેટ બનાવવામાં આવે છે. તેમાં, 17 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. દિલર ભાગવત પ્રસાદ કહે છે કે, ભગવાનનું કાર્ય કરવામાં અમને ગર્વ છે. ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવાની શરૂઆતના ઐતિહાસિક પ્રસંગે, તેઓ મારા દ્વારા બનાવવામાં આવેલા વસ્ત્ર પહેરશે.
રામ મંદિર ભૂમિપૂજન: નવરત્નો જડિત મખમલનાં વસ્ત્ર ધારણ કરશે રામલલ્લા - Pm modi ram mandir
બહુ પ્રતીક્ષિત રામ મંદિર ભૂમિપૂજનના દિવસે રામલલા નવરત્નોથી સુશોભિત વસ્ત્ર ધારણ કરશે. રામલલાના વસ્ત્ર બનીને તૈયાર છે. છેલ્લા 2 પેઢીથી ભગવાનના વસ્ત્ર બનાવવાનું કામ કરતા બે ભાઈઓ ગર્વ અનુભવે છે. જ્યારે રામલલાના દિવ્ય ભવન બનાવવાની શરૂઆત થઈ રહી છે, ત્યારે તેમણે ભગવાનના વસ્ત્રોને ભક્તિભાવથી બનાવ્યા છે.
![રામ મંદિર ભૂમિપૂજન: નવરત્નો જડિત મખમલનાં વસ્ત્ર ધારણ કરશે રામલલ્લા રામ મંદિર ભૂમિપૂજન: નવરત્નો જડિત મખમલનાં વસ્ત્ર ધારણ કરશે રામલલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:40:20:1596021020-up-ayo-ramlala-tyler-10073-29072020130255-2907f-00906-395.jpg)
રામલલના વસ્ત્ર બનાવી રહેલા વસંત ભાગવત પ્રસાદ કહે છે કે, આ વખતે જ્યારે ભવ્ય ભવનનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તેમના માટે ખાસ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે. ભૂમિપૂજનના દિવસે રામલલા નવ રત્નોથી જડિત પોશાક પહેરશે. આ સાથે જ તેમને ઝવેરાતથી સજ્જ આકર્ષક માળા પહેરાવશે. રામલાલની સાથે હનુમાન જી અને લાલજીના તેમના ત્રણ ભાઈઓ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન સહિતના દેવ-દેવીઓ માટે પણ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આશરે 3 દાયકા પહેલા રામ જન્મભૂમિના પૂજારી લાલ દાસે ભગવતપ્રસાદના પિતા બાબુલાલને રામલલાનાં વસ્ત્ર બનાવવાની કામગીરી સોંપી હતી. ત્યારબાદથી ભાગવત પ્રસાદ રામલલા માટે વસ્ત્ર તૈયાર કરી રહ્યા છે.