નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી હતી. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રેલીમાં ભારત-ચીન સીમા વિવાદ, કોરોના સંકટ, અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, કોરોના સંકટ દરમિયાન મોદી સરકારે અનેક પગલા લીધા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતની પ્રશંસા કરી છે.
ભારત-ચીન સીમા વિવાદ પર રાજનાથ સિંહે જણાવ્યું કે, જે વિવાદ પેદા થયો છે તે મામલે સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે. ચીને પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેઓ વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલા લાવવા માગે છે. આમારા પ્રયાસ પણ એ જ છે કે સૈન્ય અને કૂટનીતિક સ્તરે વાતચીત દ્વારા જ ઉકેલ લાવવામાં આવે. હું વિપક્ષને જણાવવા માગું છું કે અમારી સરકાર કોઈને પણ આ મામલે અંધારામાં રાખશે નહીં.