ગુજરાત

gujarat

By

Published : Apr 7, 2020, 10:05 AM IST

ETV Bharat / bharat

લોકડાઉન: 10 દિવસમાં રેલવે હેલ્પલાઈન પર પૂછાયા 1.25 લાખ સવાલ

ભારતીય રેલવએ સોમવારે જણાવ્યું હતું કે, લોકડાઉનના 10 દિવસ દરમિયામન યાત્રાળુંઓએ રેલવે હેલ્પલાઈન પર 1.25 લાખ પ્રશ્નો પૂછ્યા છે, જેમાંથી 87 ટકા કોલના જવાબ ઓપરેટરે આપ્યા હતા.

railways-addresses-1-dot-25-lakh-queries-on-its-helplines-in-10-days-of-lockdown
લોકડાઉન: 10 દિવસમાં રેલવે હેલ્પલાઈન પર પુછાયા 1.25 લાખ સવાલ

નવી દિલ્હી: ભારતીય રેલવેએ સોમવારે જણાવ્યું હતું કે, લોકડાઉનના પહેલા 10 દિવસમાં યાત્રી હેલ્પલાઈનમાં કુલ 1.25 લાખ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી 87 ટકા પ્રશ્નનોનું નિરાકરણ ઓપરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.

21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રેલવેએ કંટ્રોલ ઓફિસ ખોલી હતી. ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા કંટ્રોલ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે, જેઓ સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ પર નાગરિકોના પ્રતિસાદનું નિરીક્ષણ કરે છે, અને ખાસ કરીને સામાનની અવરજવર પર યોગ્ય પગલા લેવામાં આવે છે, તેની ખાતરી કરે છે. કંટ્રોલ ઓફિસ 4 કમ્યુનિકેશન પ્લેટફોર્મ-હેલ્પલાઈન્સ- 139, 138, સોશિયલ મીડિયા(ટ્વિટર) અને ઈ-મેઈલ (Railmadad@rb.railnet.gov.in) પર 24x7 મોનિટરિંગ કરી રહી છે.

રાષ્ટ્રીય પરિવહનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેની સુવિધા શરૂ થઈ ત્યારથી રેલવે કર્મચારીઓએ નિયુક્ત સંચાર પ્લેટફોર્મ પર લોકડાઉનના પ્રથમ 10 દિવસમાં 1,25,000થી વધુ પ્રશ્નોનો જવાબ આપ્યો છે, જેમાં 87 ટકા(1,09,000થી વધુ) ફોનના જવાબ ઓપરેટરોએ આપ્યા છે.

રાષ્ટ્રીય પરિવહનકારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, હેલ્પલાઈન 139 એ તેની IVRS સુવિધા દ્વારા જવાબ આપેલા પ્રશ્નો ઉપરાંત લોકડાઉનનાં પહેલા 10 દિવસમાં 80,000થી વધુ પ્રશ્નોના જવાબો આપ્યા છે. જ્યારે ક્વેરીઝ મોટે ભાગે ટ્રેન સેવાઓ શરૂ કરવા અને રિલેક્સ્ડ રિફંડના નિયમો માટે હોય છે, ત્યારે સોશિયલ મીડિયા આ સમયમાં રેલવેના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details