ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય રેલવે બંધારણ દિવસની આ રીતે કરશે ઉજવણી ! - લોકોને મૂળભૂત ફરજો

નવી દિલ્લી : બંધારણના 70 વર્ષ પુર્ણ થવા પર ભારતીય રેલવે લોકોને મૂળભૂત ફરજોને જાગૃત કરવા એક જાગૃતિ અભિયાન ચલાવશે. વિવિધ પોસ્ટર અને બેનર દ્વારા સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે,

etv bharat
etv bharat

By

Published : Nov 26, 2019, 10:55 AM IST

Updated : Nov 26, 2019, 12:12 PM IST

બંધારણના 70 વર્ષ પુર્ણ થતા ભારતીય રેલવેએ એક વિશેષ કેમ્પન શરુ કર્યું છે. આ કેમ્પનમાં રેલ્વે સ્ટેશન અને ઓફિસમાં વિવિધ કાર્યક્રમ મનાવશે. જે આવતા વર્ષ 26 નવેમ્બર સુધી ચાલશે.

આ આખા વર્ષમાં સામાન્ય લોકોની મૂળભૂત ફરજો પ્રત્યે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવશે. તેમજ બંધારણની પ્રસ્તાવના સવારે 11 કલાકે રેલ્વેના તમામ મહત્વના સ્થળોએ વાંચવામાં આવશે.

લોકોને પોસ્ટર અને બેનરો દ્વારા જાગૃત કરવામાં આવશે

બંધારણમાં આપેલ મૂળભૂત ફરજો નિભાવવા માટે રેલ્વે સ્ટેશનો અને ટ્રેનો પર પોસ્ટર, બેનરોનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે તમામ ઝોનલ રેલવેને આદેશો કર્યો છે. આ આદેશમાં સામાન્ય લોકોને પણ જોડવાનું કહેવામાં આવ્યું છે.

Last Updated : Nov 26, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details