ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાર્યા છતાં પણ મોદી અને રાહુલ ગાંધીએ ભારતીય ટીમના વખાણ કર્યા

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વિશ્વકપ 2019માં કરવામાં આવેલા પ્રદર્શનને લઈ વખાણ કર્યા છે. જો કે, ભારતને પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે 18 રને હારનો સામનો કરવો પડ્યો છે. હારવા છતાં પણ વડાપ્રધાન મોદીએ કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમના વખાણ કર્યા છે.

By

Published : Jul 11, 2019, 9:16 AM IST

file

મોદીએ ટ્વિટ કર્યું હતું ' પરિણામ નિરાશાજનક, પણ ભારતીય ટીમ અંત સુધી ઝઝૂમી રહી તે જોઈને સારુ લાગ્યું, ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં સારી રહી છે'.

twitter

મોદીએ વધુમાં કહ્યું હતું કે, હાર જીત તો રમતનો એક ભાગ હોય છે. તેમણે આવનારી મેચ માટે ભારતીય ટીમને શુભકામના આપી હતી.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ભારતીય ટીમની સરાહના કરી છે.

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી કહ્યું હતું કે, આજની રાતે કરોડ લોકોના દિલ તૂટ્યા હશે, પણ ભારતીય ટીમે સારી લડત આપી, તેઓ આપણા પ્રેમ અને સન્માનના હકદાર છે.

twitter

રાહુલ ગાંધીએ ભારતીય ટીમની સાથે સાથે ન્યૂઝીલેન્ડની ટીમને પણ ફાઈનલમાં પહોંચવા માટે શુભકામના આપી હતી.

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમ બીજી વાર સેમીફાઈનલમાં હાર્યું છે, અગાઉ 2015 વિશ્વકપમાં પણ ભારત ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં હારી ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details