ગુજરાત

gujarat

પંજાબઃ ઝેરી દારૂથી અત્યાર સુધીમાં 45 લોકોના મોત, આઠની ધરપકડ

By

Published : Aug 1, 2020, 9:23 AM IST

પંજાબમાં ઝેરી દારૂના સેવનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 45 થઇ છે. આ મોત અલગ- અલગ જગ્યાએ થઇ છે. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે આ મામલે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Punjab CM
Punjab CM

ચંડીગઢઃ પંજાબમાં ઝેરી દારૂના સેવનથી મૃતકોની સંખ્યા વધીને 45 થઇ છે. આ મોત અલગ- અલગ જગ્યાએ થઇ છે. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે આ મામલે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂના સેવનથી લોકોના મોત થયા છે.

મેજિસ્ટ્રેલ તપાસ અલગ-અલગ પરિસ્થિતિઓના મુદ્દાઓ સાથે જોડાયેલી છે. એક આધિકારીક પ્રવક્તા અનુસાર, આ તપાસ જાલંધરના ડિવિઝન કમિશ્નર, સંયુક્ત આબકારી અને કરાધાન આયુક્ત પંજાબ અને સબંધિત જિલ્લાના એસપી દ્વારા કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને કમિશ્નર જાલંધર ડિવિઝનને કોઇ પણ સિવિલ, પોલીસ અધિકારી અથવા કોઇ વિશેષજ્ઞને તપાસના શીધ્રતાથી સંચાલનની સુવિધા આપવાની સ્વતંત્રતા આપી છે. તેમણે આ મામલે કોઇની સાથે મિલીભગત સામે આવવા પર કાર્યવાહીનું વચન આપ્યું છે. જેમાં અત્યાર સુધીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તત્કાલ અને ગંભીર કેસને ધ્યાને રાખીને કૈપ્ટન અમરિંદર સિંહે પોલીસને નિર્દેશ આપ્યા છે કે, તે રાજ્યમાં ચાલી રહેલા કોઇ પણ પ્રકારની દારૂ બનાવતી કંપનીઓમાં તપાસ અભિયાન શરૂ કરે.

આ મામલે પોલીસે બલવિંદર કૌર વિરૂદ્ધ આઇપીસીની કલમ 304 અને આબકારી એક્ટ 61/1/14 હેઠળ ગુનો નોંધ્યો છે.

એસએસપી અમૃતસર-ગ્રામીણ દ્વારા ગઠિત વિશેષ તપાસ દળ હેઠળ આગળની તપાસ શરૂ છે, જ્યાંથી પહેલો કેસ સામે આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.

આ કેસની જાણકારી આપતા, ડીજીપી પંજાબ દિનકર ગુપ્તાએ કહ્યું કે, 29 જૂનની રાત્રે પીએસ તરસિકામાં મુચ્છલ અને ટાંગરા ગામથી પહેલા પાંચ મોત સામે આવ્યા હતા. 30 જૂલાઇની સાંજે વધુ બે વ્યક્તિઓના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં છે અને હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. જે બાદમાં વધુ બેના મોત મુચ્છલથી થયા છે. જ્યારે બટાલા શહેરમાં પણ બે લોકોના મોત થયા છે. જે પણ દારૂના સેવનથી થઇ છે.

આજની (શનિવાર) વાત કરીએ તો વધુ પાંચ લોકોના મોત થયા છે, જે બાદ બટાલામાં મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે.

તરનાતરની પણ ચાર આ રીતના જ શંકાસ્પદ મોત સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details