ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયું, 18 મેથી દુકાનો ખુલશે, શાળાઓ નહીં - પંજાબમાં લોકડાઉન

કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને પંજાબમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે આ જાહેરાત કરી હતી. જો કે, મુખ્યપ્રધાને ચોક્કસપણે કહ્યું હતું કે, 18 મેના રોજ નાના દુકાનદારો અને ઉદ્યોગપતિઓની વધુને વધુ દુકાનો ખોલવામાં આવશે.

પંજાબ
પંજાબ

By

Published : May 16, 2020, 10:54 PM IST

ચંદીગઢ: કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને પંજાબમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે આ જાહેરાત કરી હતી. જો કે, મુખ્યપ્રધાને ચોક્કસપણે કહ્યું હતું કે, 18 મેના રોજ નાના દુકાનદારો અને ઉદ્યોગપતિઓની વધુને વધુ દુકાનો ખોલવામાં આવશે.

18 મે પછી પંજાબમાં કોઈ કર્ફ્યુ રહેશે નહીં, ફક્ત લોકડાઉન રહેશે. તેમણે કેન્દ્રને દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાની સલાહ પણ આપી છે, પરંતુ તે વધારે કડક ન હોવું જોઈએ. સાર્વજનિક પરિવહન હળવા થવો જોઈએ અને કન્ટેન્મેન્ટ ઝોનની બહારની અન્ય પ્રવૃત્તિઓને પણ મંજૂરી હોવી જોઈએ.

સીએમએ કહ્યું કે, પંજાબમાં શાળાઓ ખુલી નહીં રહે કારણ કે બાળકોને શાળામાં અલગ રાખી શકાતા નથી. તેમણે કહ્યું કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને સમજવું મુશ્કેલ છે, તેથી પંજાબ કંફાઇનમેન્ટ ઝોન અને નોન- કંફાઇનમેન્ટ ઝોન બનાવશે.

ABOUT THE AUTHOR

...view details