ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળના પબ્લિશર્સ ગિલ્ડ આર્થિક મદદ માટે PM મોદી અને મમતાને પત્ર લખશે - પબ્લિશર્સ ગિલ્ડ

ચક્રવાત 'એમ્ફન' અને ચાલુ કોરોના વાઇરસ લોકડાઉનથી સર્જાયેલા સંકટને કાબૂમાં રાખવા પશ્ચિમ બંગાળ કોલેજ સ્ટ્રીટ- શહેરના બુક હબના સ્ટોલ માલિકોને નાણાંકીય સહાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પાસે અપીલ કરશે.

મમતા
મમતા

By

Published : May 25, 2020, 9:51 PM IST

કોલકાતા: ચક્રવાત 'એમ્ફન' અને ચાલુ કોરોના વાઇરસ લોકડાઉનથી સર્જાયેલા સંકટને કાબૂમાં રાખવા પશ્ચિમ બંગાળ કોલેજ સ્ટ્રીટ- શહેરના બુક હબના સ્ટોલ માલિકોને નાણાંકીય સહાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પાસે અપીલ કરશે.

પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ ગિલ્ડે કહ્યું હતું કે, પીએમ મોદી અને બેનર્જીને પત્ર લખી ચક્રવાત દ્વારા મુદ્રિત સામગ્રી અને બુક શોપને થતાં નુકસાન અંગે તેમજ કોવિડ -19ના કારણે થતાં આર્થિક નુકસાન તરફ ધ્યાન દોરશે.

ગિલ્ડના પ્રમુખ ત્રિદિબ ચેટર્જીએ કહ્યું કે, બુક માર્ટને પુનર્જીવિત કરવા માટે નાણાંકીય સહાયની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "સતત લોકડાઉન થવાને કારણે પ્રકાશકો અને પુસ્તક વેચાણ કરનારાઓને ભારે નાણાંકીય નુકસાન થયું છે." ગિલ્ડે આ નુકસાન ઓછામાં ઓછું 1 કરોડ હોવાનો અંદાજ લગાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details