ગુજરાત

gujarat

By

Published : Dec 14, 2019, 10:27 AM IST

Updated : Dec 14, 2019, 10:32 AM IST

ETV Bharat / bharat

ગુવાહાટી બાદ બંગાળમાં પણ લોકો ઉતર્યા રસ્તા પર, વિરોધ વચ્ચે અનેક વિસ્તારોમાં આગ ચાંપી

ન્યૂઝ ડેસ્ક: ગુવાહાટીમાં નાગરિકતા સંધોધન બિલને લઇને વિરોધ વકર્યો હતો. જેને લઇને રાજ્યમાં કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો હતો અને 48 કલાક માટે ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરી હતી. ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકોએ વિરોધ કર્યો હતો અને આક્રોશ સાથે આગ ચાંપી પણ કરી હતી.

ગુવાહાટી બાદ બંગાળમાં પણ લોકો ઉતર્યા રસ્તાઓ પર, વિરોધ વચ્ચે અનેક વિસ્તારોમાં આગ ચંપી
ગુવાહાટી બાદ બંગાળમાં પણ લોકો ઉતર્યા રસ્તાઓ પર, વિરોધ વચ્ચે અનેક વિસ્તારોમાં આગ ચંપી

આ સમગ્ર મુદ્દાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું કે, ભાજપ સરકાર રાજ્યોને બિલનું સમર્થન કરવા દબાવ ન કરી શકે. આ મુદ્દે વધુમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, તે કોઇ પણ સંજોગોમાં બિલને રાજ્યમાં પરવાનગી નહી આપે.

મમતા બેનર્જીએ આ મુદ્દાને લઇને અસમ અને પૂર્વોતરમાં થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે કહ્યું કે, આ સમગ્ર આંદોલન વચ્ચે અને કાયદા વ્યવસ્થાની ખરાબી વચ્ચે ભાજપની કેન્દ્ર સરકાર જવાબદાર છે.

ગુવાહાટી બાદ બંગાળમાં પણ લોકો ઉતર્યા રસ્તા પર

ઉલ્લેખનિય છે કે, નાગરિકતા સંસશોધન બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર થયા બાદ તેને મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેનો અસમના કેટલાક જિલ્લાઓમાં ભારે માત્રામાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા ગુવાહાટીમાં આ વિરોધને પગલે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગ ચંપીઓ લગાવી ભારે માત્રામાં મિલ્કતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેના પગલે કર્ફ્યુ લાદી દેવાના આદેશ આપવામાં આવ્યા હતાં. આ વચ્ચે 48 કલાક સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

આ વચ્ચે મળતી માહિતી મુજબ અસમના ગુવાહાટીમાં સવારના 9થી 4 કલાક સુધીમાં કર્ફ્યુમાં પણ ઢીલ કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં મહદ અંશે રાહત મળી છે.

Last Updated : Dec 14, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details