તો આ બાજુ કર્ણાટક કોંગ્રેસના પ્રભારી મહાસચિવ કેસી વેણૂગોપાલે પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપ પૈસાના જોરે સરકારી એજન્સીઓનો ઉપોયગ કરી હાલની સરકારને ઉથલાવી નાખી છે.
ભાજપને એક દિવસ ખબર પડશે કે બધુ પૈસાથી ખરીદી શકાતું નથી: પ્રિયંકા ગાંધી - assembly election
ન્યૂઝ ડેસ્ક: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર ધરાશાયી થયા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ભાજપને કટાક્ષ કરતું ટ્વીટ આવ્યું છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, એક દિવસ ભાજપને ખબર પડશે કે, પૈસાથી બધુ ખરીદી શકાતું નથી, સાથે સાથે દરેકને હેરાન પણ કરી શકાતા નથી.આ અગાઉ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી હૈયાવરાળ કાઢતા જણાવ્યું હતું કે, કર્ણાટકમાં સરકાર બન્યાના પ્રથમ દિવસથી જ અંદર અને બહારથી સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા હતાં.

priyanka gandhi
કોંગ્રેસ જેડીએસની સરકાર મંગળવારે ધરાશાયી થઈ
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ-જેડીએસની સરકાર કર્ણાટરમાં પડી ગઈ છે. રાજ્યમાં ભાજપને બહુમત મળ્યો છે.જ્યાં કોંગ્રેસ અને જેડીએસને 99 મત મળ્યા હતાં જ્યારે ભાજપને 105 મત મળતા બહુમતમાં આવી ગયા એટલે હવે તેઓ વિધાનસભામાં સરકાર બનાવવા માટે પ્રસ્તાવ રજૂ કરશે. વિતેલા 21 દિવસથી ચાલતા આ નાટકનો ગઈ કાલે અંત આવ્યો છે અને હવે કર્ણાટકમાં નવી સરકાર ભાજપના રૂપમાં સ્થાપિત થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.