ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિન્મયાનંદને મુદ્દે પ્રિયંકા ગાંધીના યોગી સરકાર પર પ્રહાર, કહ્યુંઃ આરોપીને છાવરી રહી છે સરકાર - priyanka gandhi slams chinmayanand case

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિન્મયાનંદ મામલે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર રવિવારના રોજ શાબ્દિક પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના ભાજપ નેતા સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો નથી. પ્રશાસન પૂર્વ કેન્દ્રીય પ્રધાનને બચાવ કરી રહી છે.

chinmayanand case

By

Published : Sep 29, 2019, 3:23 PM IST

કાયદાની એક વિદ્યાર્થીનીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેના બાદ 23 વર્ષીય વિદ્યાર્થીનીની 5 કરોડ રુપિયા માગવાના આરોપમાં વિશેષ તપાસ દળ (SIT) એ બુધવારના રોજ ધરપકડ કરી હતી. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીનું ટ્વિટ

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'લગભગ એક વર્ષ પહેલા શાહજહાંપુરના કેટલાયે વહિવટી અધિકારી ચિન્મયાનંદની આરતી ઉતારતા દેખાયા. તેમજ આ ઘટના અખબારોમાં પણ છપાઈ'

કોંગ્રેસ મહાસચિવે લખ્યું કે, 'દુષ્કર્મ પીડિતા દ્વારા આપવીતી જણાવવાં છતાં દુષ્કર્મના કેસની નોંધણી ન કરાઈ, કેમ થાય ? જ્યારે સમગ્ર વિભાગ તેને ભેટીને તેમનો બચાવ કરી રહ્યો હતો'

ચિન્મયાનંદ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ચિન્મયાનંદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (સી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details