ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ દુષ્કર્મ કેસ: પ્રિયંકા ગાંધીની મોદીને અપીલ, આરોપીઓને આશરો આપવાનું બંધ કરો - કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં કોંગ્રેસ મહાસિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ નેતા આરોપી કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. મંગળવારે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, 'અમે કુલદીપ સેંગર જેવા લોકોને રાજનૈતિક શક્તિ અને સંરક્ષણ શા માટે આપીએ છીએ, જ્યારે પીડિતોને એકલા તેમના જીવનની લડાઇ લડવા છોડી દઇએ છીએ?

Priyanka gandhi

By

Published : Jul 30, 2019, 1:33 PM IST

PM નરેન્દ્ર મોદીને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, 'કેસમાં સાફ રીતે પીડિત પરિવારને ધમકીઓ મળી રહી છે, તેમણે અકસ્માતની શંકા પણ જાહેર કરી છે. વડા પ્રધાનજી ભગવાન માટે તો, આ અપરાધી અને તેના ભાઇને તમારી પાર્ટી તરફથી મળતુ રાજનૈતિક સંરક્ષણ આપવાનું બંધ કરો.

પ્રિયંકાએ સોમવારે ટ્વીટ કરીને આ બાબતે વિરોધ જાહેર કર્યો હતો. તેમણે BJP સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, દુષ્કર્મ પીડિતા સાથે થયેલો અકસ્માત ચોકાવનારુ લાગે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, આ કેસમાં ચાલી રહેલી CBIની તપાસ કયાં સુધી પહોંચી છે? આરોપી ધારાસભ્ય હજી પણ ભાજપમાં છે ? પીડિતા અને સાક્ષીની સુરક્ષામાં ઢીલ શા માટે ? આ સવાલોના જવાબ આપ્યા વગર BJP સરકાર પાસે ન્યાયની આશા કેવી રીતે રાખી શકાય ?

કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતાની ગાડીને રવિવારે ગંભીર રીતે ટ્રકે ટક્કર મારી હતી, જેમાં તેની કાકી અને માસીનું મૃત્યુ થયુ છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આ બાબતે હત્યાની ષડયંત્ર અને અકસ્માત માનીને તપાસ કરી રહી છે.

રાયબરેલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, કાર અકસ્માત એટલુ ભીષણ હતુ કે, કારનો આગળનો ભાગ ખુબ ખરાબ નુકશાન પામ્યો છે. સાથે જ 4 ઘાયલોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details