ગુજરાત

gujarat

By

Published : Sep 29, 2020, 7:04 AM IST

ETV Bharat / bharat

PM મોદી આજે ઉત્તરાખંડમાં 'નમામિ ગંગે મિશન' હેઠળ 6 પરિયોજનાઓનું ઑનલાઈન લોકાર્પણ કરશે

ઉત્તરાખંડમાં નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ તૈયાર થયેલી પરિયોજનાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑનલાઈન લોકાર્પણ કરશે. આ ઉદ્ધાટન વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા કરવામાં આવશે.

Prime Minister Narendra Modi
ઉત્તરાખંડ

નવી દિલ્હી :આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ તૈયાર થયેલી પરિયોજનાઓનું ઑનલાઈન લોકાર્પણ કરશે. નમામિ ગંગે પરિયોજનાનો લોકાર્પણ કાર્યક્રમ સવારે 11 કલાકે શરુ થશે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત કાર્યક્રમમાં સચિવાલયથી જોડાશે. કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજા અને મદન કૌશિક સિવાય ધારાસભ્ય હરિદ્વાર સ્વામી યતીશ્વરાતંદ અને બીએચઈએલ રાનીપુરના ધારાસભ્ય આદેશ ચૌહાણને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

પરિયોજના નિર્દેશક ઉદય રાજ સિંહના જણાવ્યા અનુસાર કાર્યક્રમની સમગ્ર તૈયારી પુર્ણ થઈ છે. વડાપ્રધાન જે 6 પરિયોજનાઓનું લૉકાર્પણ કરશે, તેમાં હરિદ્વાર જિલ્લાના જગજીતપુરમાં 68 એમએલડી એસટીપી, 27 એમએલડીનું અપગ્રેડશન એસટીપી અને સરાયમાં 18 એમએલડીનું એસટીપી સામેલ છે.

આ સિવાય વડાપ્રધાન ચંડીઘાટ પર ગંગા અવલોકન મ્યૂઝિયમ,ઋષિકેશમાં લક્કડઘાટ પર 26 એમએલડીનું એસટીપી , ચંદ્રેશ્વર નગરમાં 7.5 એમએલડી અને મુનિની રેતી ચોર પાનીમાં 5 એમએલડી એસટીપી, બદ્રીનાથમાં એક એમએલડી 0.01 એમએલડી એસટીપી સામેલ છે.

લોકાર્પણ કાર્યક્રમ સવારે 11 કલાકથી 11.25 કલાક સુધી ચાલશે. ત્યારબાદ વડાપ્રધાન સંબોધન કરશે. પૂર્વ જળ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત ઑનલાઈન વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ દરમિયાન નમામિ ગંગે પરિયોજના પર એક શોર્ટ ફિલ્મ પણ રજુ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ત્રિવેદ્ર સિંહ રાવત પણ સંબોધન કરશે. વડાપ્રધાન રોવિંગ ડાઉન ધ ગંગેજ પુસ્તક અને ગ્રામ પંચાયતો અને પાણી સહિતના માર્ગદર્શિકાનું વિમોચન પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details