નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે પીએમ મોદીને રાજ્યની મુલાકાત લેવાની અપીલ કરી હતી. સીએમ મમતાની અપીલને સ્વીકારતાં પીએમ મોદી બંગાળના પ્રવાસ પર જશે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.
PM મોદી આજે વાવાઝોડાથી પ્રભાવિત બંગાળ-ઓડિશાની મુલાકાત લેશે - PM મોદી અમ્ફાન પ્રભાવિત બંગાળની મુલાકાત લેશે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે પીએમ મોદીને રાજ્યની મુલાકાત લેવાની અપીલ કરી હતી. સીએમ મમતાની અપીલને સ્વીકારતાં પીએમ મોદી બંગાળના પ્રવાસ પર જશે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.
![PM મોદી આજે વાવાઝોડાથી પ્રભાવિત બંગાળ-ઓડિશાની મુલાકાત લેશે Prime Minister Narendra Modi will reach West Bengal tomorrow at around 10AM to assess the damage caused](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7295921-254-7295921-1590077697446.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાત અમ્ફાન પ્રભાવિત પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. પીએમ મોદી શુક્રવારે બંગાળ જશે, જ્યારે અમ્ફાનને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે. વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે. આ પછી પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકાતા સહિત ઉત્તર અને દક્ષિણ 24 પરગનાના અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા વિનાશની તસવીરો જોઈ રહ્યો છું. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. આ સમયે આખો દેશ પશ્ચિમ બંગાળની સાથે છે. અમે રાજ્યની જનતાની સુખાકારીની ઇચ્છા રાખીએ છીએ. પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.
TAGGED:
પશ્ચિમ બંગાળ ચક્રવાત અમ્ફાન