ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2020, 10:03 PM IST

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવી સૌના સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના...

વડાપ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ આપીને દેશની જનતાને 5 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરીને દીપક, મીણબત્તી, મોબાઈલની ટોર્ચ કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત રવિવારે PM મોદીએ પણ દીપ પ્રગટાવ્યો હતો.

ETV BHARAT
વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવી પ્રાથના કરી

ન્યૂઝ ડેસ્કઃ અત્યારે દેશ કોરોના મહામારી સાથે લડાઇ કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ આપીને દેશની જનતાને 5 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરીને દીપક, મીણબત્તી, મોબાઈલની ટોર્ચ કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ દિલ્હીથી દીપક પ્રગટાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવી પ્રાથના કરી

વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવ્યા બાદ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥’

આ સાથે જ દેશના ગૃહ પ્રધાન અને ભાજપના ચાણક્ય અમિત શાહે પણ વડાપ્રધાન મોદીના આહ્વાન પર દીપ પ્રગટાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ દેશના સેવા કર્મીઓને બિરદાવવા માટે સાંજના 5 વાગ્યે ઘરમાંથી ઘંટડી, થાડી આહ્વાન કર્યું હતું. જેને દેશવાસિઓએ વધાવી લીધું હતું અને સમગ્ર દેશમાં લોકોએ પોતાના ઘરેથી સેવાકર્મીઓનું અભિવાદન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details