સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે સોમવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ તમામની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિએ મોદીના શપથ સમારોહના કવરેજ માટે પ્રસારણ મંત્રાલયની કરી પ્રશંસા - Swearing Ceremony
નવી દિલ્હીઃ રામનાથ કોવિંદે 30 મે ના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહના ઉત્તમ કવરેજ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયની પ્રશંસા કરી હતી.

મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, મંત્રાલયના પ્રતિનિધિમંડળે સોમવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી જેમા મુલાકાત દરમિયાન તેમણે તમામ મુખ્ય ધારાધોરણો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમારંભની વિગતવાર અને વૈશ્વિક કક્ષાની કવરેજ માટે વિવિધ મીડિયા એકમો દ્વારા લેવાયેલા પગલાં વિશે જણાવ્યું.
પ્રતિનિધિમંડલમાં પ્રેસ સૂચના બ્યૂરો (PIB)ના મહાનિર્દેશક સિતાંશુ કાર, દૂરદર્શનની DG સુપ્રિયા સાહુ, ઓલ ઈંડિયા રેડિયોના DG એક શહરયાર, AIR સમાચારના પ્રધાન મહાનિર્દેશક ઈરા જોશી અને DD ન્યૂઝના DG મયંક અગ્રવાલ સામેલ હતા.