ઉત્તરપ્રદેશ: કોરોના વાઇરસની બીમારીને લઇને જોઇએ તો હૉસ્પિટલ દર્દીઓને દાખલ કરવાની ના પાડી રહ્યું છે. જ્યારે દર્દીની હાલત ગંભીર હોય તો બીજી હોસ્પિટલમાં જવાની સલાહ આપી રહ્યા છે. જેના કારણે દર્દીનો ઇલાજ નથી થઇ રહ્યો અને અંતે દર્દીનું મૃત્યું થાય છે.
આવો જ એક કિસ્સો નોઈડામાં સામે આવ્યો છે, જ્યાં 8 મહિનાની સગર્ભા સ્ત્રીને તેના પતિ સાથે લઈ જવામાં આવી હતી અને અડધી ડઝનથી વધુ હોસ્પિટલોમાં તેને ક્યાંય સારવાર કરવામાં આવી નહીં.