ગુજરાત

gujarat

By

Published : Jul 13, 2020, 10:28 AM IST

ETV Bharat / bharat

MPમાં શિવરાજ મામાએ પ્રધાનોને ફાળવણી કરી, સિંધિયા સમર્થકોનો દબદબો

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમડળના વિસ્તરણના 10 દિવસ બાદ પ્રધાનોને વિભાગને વહેંચણી કરવામાં આવી છે. સિંધિયા સમર્થક નેતાઓ પ્રધાનો બનતા દબદબો જોવા મળી રહ્યો છે. આ પ્રધાનોને એ જ ખાતા ફાળવવામાં આવ્યાં છે, જે કમલનાથ સરકાર દરમિયાન તેમની પાસે હતાં.

madhya pradesh
madhya pradesh

ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંડળના વિસ્તરણ બાદ પ્રધાનોને ખાતા ફાળવ્યાં છે. ખાતાની ફાળવણીમાં પણ સિંધિયા સમર્થકોનું પલડું ભારી રહ્યું છે. આ પ્રધાનોને એ જ ખાતા ફાળવવામાં આવ્યા છે, જે કમલનાથ સરકાર પાસે તેમની પાસે હતાં.

જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ યશોધરા રાજેને સ્પોર્ટ્સ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી અને રોજગાર વિભાગ મળ્યું છે. ઈમરતી દેવીને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગોવિંદ સિંહ રાજપૂતને મહેસૂલ અને પરિવહન વિભાગ આપવામાં આવ્યું છે. નરોતમ મિશ્રાને સ્વાસ્થ્ય વિભાગ લઈ પ્રભુરામ ચૌધરીને આપવામાં આવ્યું છે.

નરોત્તમ મિશ્રાને ગૃહ સિવાય જેલ, સંસદીય કાર્ય અને વિધિ વિભાગ આપવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેમની પાસે સામાન્ય પ્રશાસન, જનસંપર્ક, નર્મદા ધાટી વિકાસ, વિમાન સહિતનું ખાતી રાખ્યાં છે. સિંધિયા સમર્થકોને મોટા ખાતા ફાળવવામાં આવ્યાં છે.

આજે પ્રધાનોને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે. જુઓ લિસ્ટ...

સિંધિયા સમર્થક પ્રધાનોનો દબદબો જોવા મળી રહ્યો
સિંધિયા સમર્થકોનો દબદબો
સિંધિયા સમર્થક પ્રધાનોનો દબદબો જોવા મળી રહ્યો
મુખ્યપ્રધાન શિવરાજે પ્રધાનોને ફાળવ્યા ખાતા

ABOUT THE AUTHOR

...view details