નવી દિલ્હી: 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે, અમે નક્કી કર્યું છે કે 150 થી 200 લોકોને આમંત્રણ આપવામાં નહીં આવે.
અયોધ્યામાં વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરશે - Shri Ram Janmabhoomi Teertha Kshetra trust
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ દરમિયાન સામાજિક અંતરની વિશેષ કાળજી લેવામાં આવશે. પીએમ મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.
![અયોધ્યામાં વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કરશે વડાપ્રધાન મોદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8132302-thumbnail-3x2-modii.jpg)
વડાપ્રધાન મોદી
શિલાન્યાસ કરતા પહેલા વડાપ્રધાન મોદી મંદિરમાં ભગવાન રામ અને હનુમાન મંદિરમાં ભગવાનની પૂજા કરશે. કાર્યક્રમમાં તમામ મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવશે.
Last Updated : Jul 22, 2020, 10:19 PM IST