ગુજરાત

gujarat

By

Published : Aug 7, 2020, 7:39 AM IST

Updated : Aug 7, 2020, 2:46 PM IST

ETV Bharat / bharat

PM એ જણાવ્યા નવી શિક્ષા નીતિના ફાયદા, કહ્યું- પુસ્તકિયા જ્ઞાન કરતાં વિદ્યાર્થીની કુશળતા પર ફોકસ

વડા પ્રધાન મોદીએ આજે (શુક્રવાર) 'રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષામાં પરિવર્તનકારી સુધાર' વિષય પર આયોજિત કૉન્ક્લેવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યું હતું.

PM Modi
PM Modi

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે 'રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષામાં પરિવર્તનકારી સુધાર' વિષય પર આયોજિત કૉન્ક્લેવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યું હતું.

મહત્વના મુદ્દાઓઃ

  • જેટલી વધુ જાણકારી સ્પષ્ટ થશે, તેટલી જ સરળતા આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના કાર્યમાં પણ થશે. ત્રણ-ચાર વર્ષના વ્યાપક વિચાર-વિમર્શન બાદ, લાખો સૂચનો પર લાંબા મંથન બાદ રાષ્ટ્રીય શિક્ષા નીતિને સ્વીકૃત કર્યા છે.
  • તેમણે કહ્યું કે, આ પણ ખુશીની વાત છે કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવ્યા બાદ દેશના કોઇ પણ ક્ષેત્રથી, કોઇ પણ વર્ગથી એ વાત ઉઠતી નથી કે, તેમાં કોઇ પ્રકારનો ભેદભાવ છે, અથવા કોઇ એક તરફ ઝુકેલી છે.
  • તેમણે કહ્યું કે, તમે બધા રાષ્ટ્રીય શિક્ષા નીતિના કાર્યાન્વયનથી સીધી રીતે જોડાયેલા છે માટે તમારી ભૂમિકા ખુબ જ મહત્વની છે. જ્યાં સુધી રાજકીય ઇચ્છાશક્તિની વાત છે, હું પુરી રીતે કમિટેડ છું, હું પુરી રીતે તમારી સાથે છું.
  • રાષ્ટ્રીય શિક્ષા નીતિ 21મી સદીના ભારતની નવા ભારતનો પાયો તૈયાર કરનારી છે.
  • છેલ્લા અનેક વર્ષોથી આપણી શિક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર થયા નથી. પરિણામે થયું એ કે, આપણે સમાજમાં જિજ્ઞાસાને પ્રમોટ કરવા કરતા નબળી માનસિક્તાને પ્રોત્સાહન મળતું ગયું હતું.
  • આ નીતિમાં વિદ્યાર્થીઓમાં, યુવાઓમાં અભિનવની ક્ષમતા વિકસીત થશે. આ સાથે જ તેમને સશક્ત બનાવશે.
  • તેનાથી ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ કરશે.
  • અત્યાર સુધી જે આપણી શિક્ષા વ્યવસ્થા છે, તેમાં 'શું વિચારો' તેના પર ફોકસ રહ્યું છે, જ્યારે આ શિક્ષા નીતિમાં કઇ રીતે વિચારીએ? પર ભાર મુકવામાં આવ્યો છે.
  • હવે પ્રયાસ એ છે કે, બાળકોને શીખવા માટે ડિસ્કવરી આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લષણ આધારિત રીતો પર ભાર આપવામાં આવ્યો છે. જેમાં બાળકોમાં શીખવાનો પ્રયાસ મળશે.

આ કૉન્ક્લેવનું આયોજન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ સમ્મેલનમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ, 2020 હેઠળ સામેલ ઉચ્ચ શિક્ષાના વિભિન્ન પાસાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવીએ તો ભારત સરકારે હાલમાં જ નવી શિક્ષા નીતિ 2020 કરાર જાહેર કર્યો છે. જેમાં દેશમાં ભણતરની પેટર્ન બદલવા, એમફિલ ખતમ કરવા જવા અને માતૃ ભાષામાં ભણતર પર ભાર મુકવામાં આવ્યો છે. આ નીતિમાં માનવ સંસાધન મંત્રાલયનું બદલીને શિક્ષા મંત્રાલય કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ એવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો છે, જેનાથી બાળકોમાં કૌશલ્યની ક્ષમતા પહેલાથી વધુ વધે.

Last Updated : Aug 7, 2020, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details