ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી કોરોનાને રોકવા માટે જનઆંદોલન શરૂ કરશે - નેશનલસમાચાર

કોરોના સંકટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસને રોકવા માટે આજથી જન આંદોલન શરુ કરશે. ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી તહેવારની સીઝનને જોઈ સોશિયલ મીડિયા પર શરુ થનારા આ અભિયાનમાં નવરાત્રિ, દુર્ગાપુજા, છઠ પૂજા, ક્રિસમસ અને ઠંડીમાં કોરોનાથી કઈ રીતે બચવું તે અંગે લોકોને સાવચેત કરવામાં આવશે.

Prime Minister Narendra Modi
PM મોદી

By

Published : Oct 8, 2020, 7:52 AM IST

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આવનારા તહેવારો, ઠંડીની ઋતુ અને અર્થવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા કોરોના સામે બચાવાના તમામ ઉપાયોનું પાલન કરીને દેશમાં આગળ કેવી રીતે વધી શકાય, તે અંગે આજથી એક જનઆંદોલન શરૂ કરશે.

તહેવારો અને ધાર્મિક તથા સામાજીક આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે આ અભિયાનનું ઉદ્દેશ કોરોના પ્રોટોકોલ વિશે લોકોને સાવચેત કરવાનું છે. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, સ્વચ્છતા જાળવવાના સામૂહિક પ્રયત્નોને પ્રોત્સાહન આપવું વગેરે શામેલ છે. આ અભિયાન આગામી તહેવારો અને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી રહ્યું છે.

દેશમાં કોરોના વાઈરસના સંક્રમિત લોકોની સંખ્યા 67.57 લાખ થઈ છે. અત્યારસુધીમાં 57 લાખ 44 હજાર 693 લોકો સંક્રમણથી મુક્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details