ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે - nation

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા ઉપર આજે ત્રિરંગો લહેરાવશે. આ ઉપરાંત તેઓ લાલ કિલ્લાનાં મંચ ઉપરથી દેશને સંબોધિત કરશે. છઠ્ઠી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે. આ સંબોધની સાથે જ આ રીતે મોદી અને વાજપેયીની સમકક્ષ થશે.

આજના સંબોધન સાથે જ વડાપ્રધાન મોદી વાજપેયીની સમકક્ષ પહોંચશે

By

Published : Aug 15, 2019, 4:52 AM IST

Updated : Aug 15, 2019, 7:41 AM IST

વડાપ્રધાન સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયોની છાપ દેખાશે. જેમાં જમ્મુ-કાશ્મીર સંબધીત અને ત્રણ તલાક અંગેના નિર્ણયોનો સમાવેશ થાય છે.લોકસભામાં વિજય પછી સ્વતંત્ર પર્વમાં વડાપ્રધાનનું આ પહેલું વક્તવ્ય છે. આ ઉપરાંત મોદી કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે 'સ્વચ્છ ભારત', 'આયુષ્માન ભારત' અને ભારતની અંતરિક્ષ મિશનની સફળતા અંગે વાત કરી શકે છે.

છેલ્લા રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ જમ્મુ કાશ્મીરના વિકાસ અને શાંતિ માટેનું વચન આપ્યુ હતું.

આજના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. નોંધનીય છે કે, 1998 થી 2003 વચ્ચે વાજપેયીએ પણ સતત છ વખત લાલ કિલ્લા પરથી 15 ઓગષ્ટે સંબોધન કર્યુ હતું.

Last Updated : Aug 15, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details