ગુજરાત

gujarat

By

Published : Sep 2, 2020, 7:23 AM IST

ETV Bharat / bharat

અમેરિકા-ભારત રણનીતિક મંચ: લીડરશિપ સમિટને સંબોધિત કરશે વડાપ્રધાન મોદી

USISPF નો વાર્ષિક કાર્યક્રમ શરૂ છે. આ આગાઉ એમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જોકે વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. જે બાદ હવે વડાપ્રધાન મોદી સંમેલનના ત્રીજા લીડરશિપ સમિટને સંબોધિત કરશે.

અમેરિકા- ભારત રણનીતિક મંચ
અમેરિકા- ભારત રણનીતિક મંચ

વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુએસ-ભારત સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમ (USISPF )ની ત્રીજી 'લીડરશીપ સમિટ' નું સંબોધન કરશે.

USISPF ના પ્રમુખ મુકેશ અધીએ કહ્યું કે, 'અમે સમ્માનિત અનુભવ કરી રહ્યા છીએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ USISPFના વાર્ષિક કાર્યક્રમને સંબોધવા માટે સમય આપ્યો. આ વર્તમાન પડકારરૂપ વાતાવરણમાં યુએસ-ભારત સંબંધોનું મહત્વ દર્શાવે છે.

તેમણે કહ્યું કે, આ બંને દેશો માટે લાભદાયક ભાગીદારી છે, જે ભૌતિક-રાજકીય, વ્યવસાયિક, સાંસ્કૃતિક, રાજદ્વારી અને વૈજ્ઞાનિક ભાગીદારી પર પરસ્પર આધારિત છે.

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે એક અઠવાડિયા ચાલનાર કોન્ફરન્સના પહેલા દિવસે સંબોધન કર્યું હતું. મંગળવારે ચર્ચામાં વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details